SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ તે જ વખતે તેઓ જણાવતા રહ્યા કે “એ બાળક મોટો થશે ત્યારે સર્વ ગુણેનો આધાર–સર્વ ગુણેને ધારણ કરનારે થશે—એ વાત તમારા ધ્યાનમાં હશે (જુઓ V, ૨. પ્ર. ૫.)- આ સર્વ હકીકત લઘકમાં ભવ્ય પુરૂષને બરાબર બંધબેસતી આવે છે તે આ પ્રમાણેઃ મનુષ્ય ગમે તે જુદાં જુદાં ક્ષેત્રમાં જન્મે, ગમે તે સ્થાને જન્મ પણ તે સર્વ મનુજગતિ નામની નગરીમાં જ વર્તે છે, બહારની નજરે એના ગમે તે માતા પિતા હોય અને ગમે તે જુદાં જુદાં નામે તેઓ ધારણ કરતા હોય પરંતુ વસ્તુતઃ તેઓ સર્વ કર્મપરિણામ રાજા અને કાળપરિણતિ મહાદેવના જ પુત્રો છે અને તેઓનાં ગમે તે જુદાં જદાં નામ પાડવામાં આવે પણ તેઓનું સામાન્ય નામ તે ભવ્યપુરૂષ યોગ્ય છે અને તેઓની સારી બુદ્ધિ હોવાથી તેમને સુમતિ નામ આપવું તે પણ યોગ્ય છે. આથી એમને સર્વને “ભવ્યપુરૂષ” કહેવા એમાં કઈ પણ પ્રકારનો વાંધો નથી એમ સદાગમ (સંત પ્રણિત આગમશાસ્ત્રગ્રંથ) કહે છે અને તેટલા માટે સદાગમને પુરૂષાકારે બતાવનાર મહાત્માશ્રી સમંતભદ્રે તેમને સુમતિ-ભવ્યપુરૂષ તરીકે મનુજગતિમાં રહેનારને ઉપનામે સર્વગુણધાર તરીકે વર્ણવ્યા છે. એવા લઘુકર્મ જીનું સુમતિપણું કે ભવ્યત્વ જરા પણ વ્યભિચાર પામતું નથી (એમાં કઈ જાતને દેષ આવતા નથી એમ સદાગમ કહે છે.) * વળી જેવી રીતે પેલી મહાભદ્રા સમતભદ્રસૂરિ મહારાજનું વચન સાંભળીને પ્રથમથી જ પ્રતિબોધ પામી ગઈ અને પરિણામે તેણે દીક્ષા લીધી અને પ્રજ્ઞાવિશાળ થઈ તે જ પ્રમાણે આ સંસારમાં જે ઉત્તમ પુરૂષ હોય છે તેઓ જ્યારે સર્વજ્ઞ મહારાજના આગમને ઉપદેશ સાંભળે છે ત્યારે તેઓને તત્વને સમગ્ર બેધ થાય છે અને એમ બને છે એટલે તુરત જ તેઓ સાધુ થઈ જાય છે. આવા પ્રકારના પુરૂષ પરમાથેથી પ્રજ્ઞાવિશાળ ( વિશાળ બુદ્ધિ વૈભવવાળા) કહેવાય છે એમ તમારે સમજવું. હવે પિલી સુલલિતા(અગૃહીતસંકેતા)ને પૂર્વ ભવના અભ્યાસને લીધે મહાભદ્રા સાથે સ્નેહસંબંધ થયો તે પ્રમાણે આ સંસારમાં કેટલાક ભારેકમ જી હોય છે પણ જેઓનું ભવિષ્ય સારું થવાનું હોય છે તેવા ભવ્ય પ્રાણુઓને પણ કઈ પણ પ્રકારે સુસાધુ સાથે અવશ્ય સંબંધ થાય છે અને તે સંબંધ તેઓને ગુણ કરનાર થઈ પડે છે, કારણ કે કલ્યાણ મિત્રને યોગ સંપત્તિને મેળવી આપનાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy