SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨ ] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૫ પંડરીક સૂરિ શાસનને ઘણું દીપાવનાર નીવડયા. તેઓશ્રીએ દેશનારૂપ કિરણ વડે સૂર્યની પેઠે ભવ્ય પુંડરીકેની (કમળની) મહામેહના તમ રૂપ નિદ્રાને ઉડાડી દીધી એટલે સૂર્ય જેમ નિદ્રાને ઉડાડે છે અને કમળને વિકસ્વર કરે છે તેમ એ સૂર્ય જેવા પ્રતાપી આચાર્ય ભવ્ય પ્રાણુઓના મેહના અંધકાર રૂપ નિદ્રાને ઉડાડી દીધી અને પતાની દેશના રૂ૫ કિરણ વડે સર્વ ભવ્યકમળને જાગૃત કર્યા-વિકસ્વર કર્યો. તે કારણને અંગે અને તે હેતુ ધ્યાનમાં રાખીને તેઓએ વિહાર કર્યો, તેઓ એક દેશથી બીજે દેશ ગયા અને દરમ્યાન પોતાની સાધુચર્યામાં બરાબર સ્થિત રહ્યા, તેમણે નિરતિચાર ચારિત્ર પાળ્યું અને અનેક ગુણવિભૂષિત મેટો શિષ્યસમુદાય એકઠે કર્યો. તેઓએ દાન શીળ તપ અને ભાવ રૂ૫ ચારે ધર્મના પાયાને અનુક્રમે પાન્યા-જીવનના પ્રથમ પહેરમાં ત્યાગ (દાન) ધર્મ સ્વીકાર્યો, બીજા જીવનકાળમાં શીળ પાળ્યું, વિશિષ્ટ વર્તન આદર્યું, ત્રીજા કાળમાં ઊંચા પ્રકારનો તપ આદર્યો અને ચોથા વિભાગમાં ભાવધર્મને આદર કર્યો. આવી રીતે ધર્મજીવનના ચારે પહોરમાં યોગ્ય આચરણ કરી આખા દિવસના આકારને ધારણ કરનારા જીવનને સુંદર રીતે વ્યતિત કરી તેને અંતે જિનશાસનને સારી રીતે પ્રકાશિત કર્યું. છેવટે એ પુંડરીક સૂરિરૂપ સૂર્ય જ્યારે જીવન દિવસને છેડે નજીક છે, તેને સંસ્થાસમય નજીક આવતો અનુભવ્યું એટલે સાયંકાળને ગ્ય સંલેખના આદરી. એ અંત આરાધના કરવાનો પ્રસંગ જાણું પ્રથમ તો ધનેશ્વર નામના પોતાના શિષ્યરતને આચાર્યસ્થાને સ્થાપન કર્યા. એ ધનેશ્વરમુનિએ ઉચ્ચ ક્રિયાનો અભ્યાસ કર્યો હતો, યોગ ક્ષિાઓ આદરી હતી અને વળી તેઓશ્રી સર્વ આગમનો પાર પામી ગયા હતા. આવી રીતે ક્રિયા અને જ્ઞાનના પારંગામી શિષ્યરતને આચાર્યસ્થાન આપી કૃતકૃત્ય થયા. ધનેશ્વરને અનુશાસન શિષ્યવર્ગને નિયંત્રણા. ત્યાર પછી આચાર્ય પુંડરીકે ધનેશ્વરને સૌથી આગળ કરી તેમના પર ગચ્છને ભાર મૂક્યો અને તેમને નીચે પ્રમાણે અનુસા કરી: “અહો મહા ભાગ્યશાળી ! આ જિનાગમ ( તીર્થકર મહારાજનાં શાસ્ત્રો ) સંસારરૂપ મહાપર્વતને ભેદી નાખવાને વજ જેવાં છે, પણ તે દુખે કરીને મેળવી શકાય તેવાં છે. તેને તમે જાણ્યાં છે, તેથી તમે ધન્ય છે. ૧ સંલેખના મરણ સમય નજીક જાણું આરાધના કરવી તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy