SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૨૦૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ વાની જરૂરીઆત સમજાવી અને સર્વજ્ઞ વચનમાં અનેક દૃષ્ટિ મળી જાય છે તે સૂચવ્યું. સૂરિમહારાજનું એ વિસ્તારવાળું ભાષણ સાંભળીને પુંડરીકના મનનું સંપૂર્ણ સમાધાન થયું, ગુરૂમહારાજે છેવટે જણાવ્યું કે એ સર્વ બાબતે ના મેળ બારમા દૃષ્ટિવાદ અંગના અભ્યાસથી મળશે તેથી પુંડરીકને આગમના વિશેષ અભ્યાસ કરવાની તીત્ર જિજ્ઞાસા થઇ આવી અને તે વખતથી વિશેષ અભ્યાસ તેણે શરૂ કરી દીધો. ધીમે ધીમે ત્યાર પછી તે દ્વાદશાંગી વિગેરે સર્વ આગમના ધારણ કરનાર થઇ ગયા. આગમની અનેક કુંચીએ ( અનંત ગમ અને પર્યાય યુક્ત ) સમતભદ્રાચાર્યે કૃપા કરીને વિગતવાર પુંડરીકને બતાવી દીધી અને પુંડરીકે તે સર્વને ગ્રહણ કરી લીધી. સમંતભડ્માક્ષ પુંડરીક આગમ રહસ્યજ્ઞ. તેની આચાર્યપદે સ્થાપના અને સૂરિમહારાજનું નિર્વાણ, સિદ્ધાન્તના રહસ્યને જાણનારા આચાર્યમહારાજશ્રીની કૃપાથી આગમમાં રહેલા સર્વ ભાવેાને ઘણા વિસ્તારથી પુંડરીકમુનિ પામી ગયા, એના ઊંડાણમાં સારી રીતે તે ઉતરી ગયા અને એ રહસ્યજ્ઞાન એણે પચાવ્યું, જેને પરિણામે સર્વજ્ઞ મહારાજનાં આગમના સુંદર ભાવ એના મનમાં જામી ગયા. પછી આચાર્યશ્રીએ એને દ્વાદશાંગીનેા અનુયેાગ અને ગચ્છની અનુજ્ઞા આપી. પેાતાની આચાર્ય પદવીનું સ્થાન તેને આપતાં આચાર્યશ્રી સમંતભદ્ર ઘણા રાજી થયા, પેાતાની પાછળ શાસનના રક્ષકની સ્થાપના કરી પોતે અતૃણી થયા અને ચાગ્યને યોગ્ય પદવી આપવાથી પેાતાના મનમાં સંતોષ પામ્યા. જે વખતે પુંડ રીક મહામુનિને આચાર્યપદે સ્થાપવામાં આવ્યા તે દિવસથી આઠ દિ વસ સુધી દેવાએ અને મનુષ્યોએ વિધિપૂર્વક અને ઘણા આનંદ સાથે દેવની અને સંઘની પૂજા ભક્તિ કરી અને સર્વ બહુ રાજી થયા. પુંડરીક મેાક્ષ, પુંડરીક આચાર્યની વિભૂતિ. વિહાર, ઉપદેશ, નિયંત્રણા, છેવટે ધનેશ્વરને આચાર્યપદ પુંડરીક આચાર્ય ત્યાર પછી ઘણા પ્રગત થતા ગયા. એમને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. આગળ જતાં એમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. ૧ અનુયોગ: સૂત્રની વ્યાખ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy