SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. હવે એ આત્મા પૈકી જે આત્મા મોહનીય કમરૂપ મેલવાળો હોય તે મોક્ષમાર્ગને જોઇ કે જાણી શકો “નથી. જેમ આંખમાં મેલ હોય ત્યારે વસ્તુદર્શન બરાબર થતું નથી તે પ્રમાણે સમજવું. એ કમલને જ્યારે ક્ષય થઈ જાય, નાશ થઈ “ જાય, ત્યારે એ આત્મા યથાસ્થિત મોક્ષમાર્ગને જોઈ જાણી શકે છે; “પછી એ આત્મા ગમે ત્યાં રહ્યો હોય તે પણ આપોઆપ એના “લક્ષ્યમાં મોક્ષમાર્ગ બરાબર આવી જાય છે, એ માર્ગ એની નજર “સન્મુખ પિતાના બળથી આવી જાય છે. આવી સ્થિતિ થયા પછી “પ્રાણી પરમાર્થને બતાવનાર સાચા દર્શનને બરાબર જોઈ શકે છે, પછી તે પિતાને ખોટો આગ્રહ મૂકી દે છે-આવી સ્થિતિ માર્ગ પર “આવનારની થાય છે એમ ઘણું ડાહ્યા વૈજ્ઞાનિકે કહી ગયા છે. વળી “સુ કહી ગયા છે કે જે પ્રાણું તદ્દન મૂઢ હોય–શૂન્ય હોય અને જે “ગુણદોષ જોઈ શકતો ન હોય, જેને ગુણદોષની પરીક્ષા ન હોય તે પ્રાણી સિદ્ધાન્ત રૂપ વિષમ (આકરા) જ્ઞાનને કેમ મેળવી શકે? કેમ ઝીલી શકે? બાકી “હું સાર! તું ખરાબ! મારૂં દર્શન સુંદર ! તારું દર્શન ખરાબ !” એવું બોલવું, માનવું કે એવી વાતો કરવી એ તે ઉઘાડી રીતે મત્સર છે, દ્વેષ છે, અદેખાઈ છે. “આ લેકમાં જે જે પ્રાણીઓ યથાયોગ્ય દષ્ટિવાળા છે તે સઘ*ળાઓ આ તાત્ત્વિક શુદ્ધ દર્શનમાં જ રહેલા છે. આવા વિશાળ દર્શનમાં રહેનારને “મારૂં મારૂં –એ પ્રકાર તો વ્યાપકતા- “ નાશ જ પામી ગયેલું હોય છે તેથી તેઓ વાદન હે તુ. “વિવાદ કરતા નથી અને કદાચ કરે છે તે સર્વને એકરૂપતા (સમાન રૂપપણું) આપે છે, સર્વની “અંદર ઊંડાણમાં એકવાક્યતા (તુલ્ય સમાનતા) છે તેનું ભાન કરાવે Kછે. હવે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જેઓનાં મળ નાશી પામી ગયેલાં ન હોવાને કારણે જેઓ વિપરીત નજરે જોનારા હોય છે તેઓ મત્સર કે અભિમાનમાં આવી જઈને પિતાનાં તીર્થને જ * વ્યાપક કહે છે, તેને સર્વવ્યાપક કહેવરાવવાને દાવો કરે છે. એવા ૧ અહીં મૂળ ગ્રંથ રે. એ. . વાળા પુસ્તકનું પ્ર. ૧૨૨૬ શરૂ થાય છે. ૨ આ નયજ્ઞાનનો પાયો છે. દષ્ટિબિન્દુઓમાં અંશ સત્ય છે. નય જુદાં દાં દષ્ટિબિંદુઓ છે, તેમને જાણવા, તેટલા પૂરતા તેમને સત્ય તરીકે સ્વીકારવા અને તેમનું દૃષ્ટિબિન્દુ સમજવું એ નયજ્ઞાન છે, નયજ્ઞાનના સિદ્ધાન્ત૫ર જેનદર્શન નની વ્યાપકતા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy