SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧] વ્યાપક જૈન દર્શન. ૨૦૧૧ એવી રીતે સહુ દેવ અને સદ્ ધર્મને નિવેદન કરનાર ઉત્તમ શાસ્ત્ર એવા પ્રકારના જ મોક્ષને બરાબર પ્રતિપાદન કરનાર હોય છે. જે શાસ્ત્ર દષ્ટ તથા ઈષ્ટથી' અવ્યાહત છે-હણાતું નથી અને સર્વે પ્રમાણેથી પ્રતિષ્ઠિત છે તેવું એક જ શાસ્ત્ર સર્વત્ર વ્યાપક છે અને તેવા “ શાસ્ત્રને જ વ્યાપક તરીકે ઓળખવામાં આવે છે. આ તેને ભાવાર્થ “ કહેવામાં આવ્યું છે એમાં વિશેષ પ્રકારે ભાવ રહેલું છે તે જાણીને છે એને પોતાની મરજીમાં આવે તેવા વિવિધ પ્રકારના શબ્દથી વ્યવ ધાન કરેલ છે. એને કઈ વૈષણવ કહે, કેઈ બ્રાહ્મણ નામ આપે, કઈ માહેશ્વર નામ આપે, કેઈ બૌધ નામ આપે અને કેાઈ એને જૈનેંદ્ર નામ આપે તેમાં કોઈ વાંધો નથી. જે એનો મૂળ ભાવ નાશ “પામતો ન હય, ઉડી જતો ન હોય તે શબ્દભેદમાં કાંઈ દૂષણ આવતું નથી. ડાહ્યા માણસો તે અર્થે જોઇને તેના ઉપર પ્રસન્ન થાય છે, તેને અંદરનો ભાવાર્થે વિચારે છે, તેઓ માત્ર શબ્દ ઉપર કે નામ ઉપર રાચી જતા નથી કે તેમાં મુંઝાઈ જતા નથી. કોઈ “ મનુષ્યને દેવ કહેવામાં આવે અને તેનામાં ગુણ તે કાંઈ હોય નહિ “છતાં એ ગુણવિનાના માત્ર બે અક્ષરના સમુદાય દેવ શબ્દથી “રાજી થઈ જાય તે તેને મૂર્ખ જ સમજો. આ પ્રમાણે હોવાથી કદાચ અન્ય તીર્થીઓ પિતાના તીથને વ્યાપક કહી બેસે તે તેમની સાથે તકરાર કરવાની જરૂર નથી. આ બાબત બહુ ગંભીર છે અને ઊંડા ઉતરીને વિવાદ નથી “સમજવા જેવી છે. પુંડરીક મુનિ ! બુદ્ધિ ઉપર આગ્રહ નથી. “આવરણ આવી જવાને પરિણામે થતી વિકાર દષ્ટિ જેમને હોય તેમને જ બહુ દર્શને છે એ મેહ થાય છે, પણ એ ખરેખર બેટે મેહ છે. જ્યારે પ્રાણુને એ આછાદન ઊડી જાય છે, જ્યારે એને સર્વ વસ્તુઓ બુદ્ધિગોચર “થાય છે અને જ્યારે એને સાચા દર્શનનું ભાન થાય છે ત્યારે “ખરેખર એનામાં ભેદબુદ્ધિ જરા પણ રહેતી નથી. આ શુદ્ધ “દર્શનમાં ભેદબુદ્ધિને સ્થાન જ નથી, “આ પ્રમાણે કહેવાને એક ખાસ હેતુ પણ છે તે તું સમજી લે. “સર્વ વાદીઓના વિચારમાં આત્મા તે સાધારણ છે, એટલે કે સર્વે ૧ દષ્ટ અને ઈષ્ટઃ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુથી અબાધિત વચન તે “દુષ્ટ'. પોતે અંગીકાર કરેલ આગમથી અબાધિત વચન તે “ ઇષ્ટ.” ૨ વાસ્તવિક રીતે દર્શન તો એક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy