SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૮કલ્યાણપરંપરાને હેતુ છે, જાતે શુદ્ધ છે અને શુદ્ધ ગુણથી ભરેલ “છે. એમાં જે શુદ્ધ ગુણની વાત કરવામાં આવી એક ધર્મ. “તે દશ પ્રકારના હોય છે અને તે આ પ્રમાણે હેય છે. ક્ષમા, માર્દવ (નમ્રતા, શૌચ (બાહ્ય આંતર “નિર્મળતા–પવિત્રતા), તપ ( બાહ્ય અને અત્યંતર), સંયમ (સત્તર “પ્રકારે), મુક્તિ (લેભ ત્યાગ), સત્ય, બ્રહ્મચર્ય, આર્જવ (સરળતા) અને ત્યાગ (પરિગ્રહ મુક્તિ). પંડિતે જ્યારે એ દશ લક્ષણયુક્ત ધર્મને જાણે છે ત્યારે એને સ્વર્ગ અને મોક્ષ આપનાર તરીકે પીછાને છે અને એની તે શક્તિના સંબંધમાં જરા પણ વાદવિવાદ કરતા જ નથી, એની સ્વર્ગ મોક્ષ આપવાની તાકાત સ્વીકારી લે છે. કેટલાક “મૂઢ પ્રાણીઓ ધર્મની આથી ઉલટી રીતે અથવા વિપરીત રીતે “ કલ્પના કરે છે, કરવા પ્રયત્ન કરે છે તેના ઉપર કરૂણાયુક્ત હૃદય વાળા પંડિત પુરૂષો તેમને તેમ કરતાં વારે છે–અટકાવે છે. આવા ૮ પ્રમાણથી સિદ્ધ થઈ શકે એ એક જ ધર્મ છે તેનું વર્ણન પુંડરીક! મેં તારી પાસે કરી બતાવ્યું છે. હવે એક બીજી વાત કરું. તારી પાસે મેં તત્ત્વજ્ઞાવાળા મેક્ષમાર્ગની વાત કરી તે પણ પરમાર્થે એક જ છે અને પંડિતે તેને “એક તરીકે જ પીછાની શકે છે. આ વાત બરાબર ધ્યાન રાખીને તું “સમજી લે એટલે તારા પ્રશ્નનો નીકાલ થઈ જશે. મોક્ષ માર્ગ “કેઈ એ મોક્ષને સર્વ નામ આપે છે, બીજા એને પણ એકજ. “લેશ્યાશુદ્ધિ કહે છે. એકંદરે જોતાં કેઇ એને શક્તિ કહે છે અને કેટલાક યોગીઓએ પ્રાપ્ત કરવા યોગ્ય “એ પરમ વીર્ય છે એમ કહે છે. એમાં જે ભેદ પડે છે તે તે નામમાત્ર જ છે, એમાં અર્થને ભેદ જરા પણ પડતો નથી તથા એના આચરણમાં પણ વનિ ભેદ સંભળાય છે તે આ પ્રમાણે -કેઇ એને “અદૃષ્ટ કહે છે, કેઈ એને કર્મસંસ્કાર કહે છે, કોઈ સત્વ-વીર્ય- “એને પુણ્ય અપુણ્ય(પાપ) કહે છે, કેઈ શુભ અનો ખુલાસ. “શુભ કહે છે, કઈ ધર્મ અધર્મ કહે છે, કેઈ પાશ" કહે છે–એ સર્વ જૂદા જૂદા પર્યાય છે, એકાયૅ ૧ મોક્ષને માટે “સ” વિગેરે શબ્દ નદા નદા દર્શનકાર વાપરે છે તે માટે જુઓ સદનસંગ્રહ. ૨ પાસ અચિત પદાર્થ. એ શૈવ મતનો શબ્દ છે. એ ૫શુ, પતિ અને પાશ એવા ભેદ પાડે છે. એનું વર્ણન શૈવમતના વિવરણુમાં સર્વત્રનસંગ્રહ ગ્રંથમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy