SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧ મું. વ્યાપક જૈન દર્શન, $ $ $ સ 9 મંતભદ્ર સૂરિએ જણાવ્યું કે દ્વાદશાંગીને સાર ધ્યાનયોગ છે એટલે પુંડરીકે સવાલ કર્યો કે અન્ય તીર્થીઓ પણ Zછે એ જ વાત કરે છે તે તેમાં વિશેષતા શી? એટલે . વિશ્વ આચાર્ય મહારાજે ઉપર લખેલી એક સાચા વૈધની અને બીજા ઊંટવૈવોની કથા કહી તેને આશય સમજાવતાં વિશેષમાં કહ્યું કે સુંદર અનુષ્ઠાન અને શુદ્ધ વર્તન સાથે દયની પવિત્રતા પ્રાણુને કર્મવેગથી મૂકાવે છે, અન્યત્ર ધ્યેયની કલ્પનામાં જ્યાં સામ્ય જણાય ત્યાં સર્વેશ વચનની હાજરી સમજવી અને ધ્યાનને પરમ હેતુ માધ્યચ્યું છે એ લક્ષ્યમાં રાખવું. અન્યત્ર પણ જ્યાં શુદ્ધ તત્વનાં અંશે જોવામાં આવે ત્યાં તે તેટલા પૂરતા શુદ્ધ છે એમ સમજવું, બાકી હિંસામય અનુષ્ઠાન કરવાથી અથવા દેવીદેવાદિના મરણમાત્રથી વ્યાધિને નાશ થાય એવાં કથન છે તે અસત છે એમ સમજવું. ઉપરના પ્રકરણમાં આટલે ભાવ અનેક યુક્તિ સાથે સમજાવ્યું છે. ત્યાર પછી તત્વની-મુદ્દાની બાબતને વધારે સ્પષ્ટ કરવાના આશયથી પુંડરીકમુનિએ એક વધારે સવાલ પૂછયે તે નીચે પ્રમાણે તત્વજિજ્ઞાસા, “ નાથ! આપણે જેમ કહીએ છીએ કે જૈનદર્શન વ્યાપક છે તેમ અન્ય તીથીઓ પણ એમજ કહે છે કે તેઓનું દર્શન પણ વ્યાપક છે! ત્યારે એને ઉત્તર છે? એ સર્વ તીર્થીઓ પોતાની બુદ્ધિથી એર તીર્થના સ્થાપનારાને સર્વ કહીને ઓળખાવે છે! બીજા તીર્થનો તિરસ્કાર કરે છે અને પોતાના મતનો ગર્વ રાખે છે, પોતે જેને દેવ માને છે, કે ૧ આ સવાલ ઘણે સ્વાભાવિક છે અને ઘણાને થાય તે છે. ઉત્તર બરાભર વિચારવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy