SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮] સાતની દીક્ષા. અનુસુંદરની પ્રગતિ. ૨૦૨૭ અનુસુંદર રાજર્ષિને તે વખતે મનમાં ઘણું જ સંતોષ થયો, અત્યંત શાંતિ થઈ, કર્તવ્યપૂર્ણતાના માર્ગ પર આવવાની સુંદર સ્થિતિનું ભાન થયું અને પોતાની જાતને અહોભાગ્ય માનતાં એકાંતમાં રાત્રે તે ધ્યાનપર ચઢી ગયા. એમની લેશ્યાઓ વધારે શુદ્ધ થતાં તે *ઉપશમ શ્રેણિએ ચઢી ગયા અને ઉપશાંતમૂહ ગુણસ્થાનકે આરૂઢ થયા. આચાર્ય ભગવાનના કહેવાથી બીજા મુનિઓને જણાયું કે અનુસુંદરને મરણ સમય નજીક આવ્યું છે એટલે તેઓ સર્વ તેની નજીક આવી તેને સમાધિ ઉપજાવવા લાગ્યા, તેને એગ્ય રીતે જાગ્રત કરવા લાગ્યા, તેને નિઝામણું કરાવવા લાગ્યા. તે વખતે તેનું આયુષ્ય પૂર્ણ થયું. આ શરીરરૂપ પાંજરું મૂકી અનુસુંદર સર્વાર્થસિદ્ધ વિમાને ગયા અને ત્યાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા મટી ઋદ્ધિવાળા દેવ થયા. સવારે એ હકીકતની ખબર પડતાં ચતુર્વિધ શ્રમણસંઘ એકઠા થયે. વિધિપૂર્વક મુનિ મહારાજ રાજર્ષિ અનુસુંદરના મૃત શરીરનો તેઓએ સંસ્કાર કર્યો અને મનુષ્યોએ તથા દેએ તેની પૂજા કરી. ૧ ઉપશમ શ્રેણિક ભેગા કર્મો બાકી રહે છતાં આત્મા જ્યારે પ્રગતિ થાય છે ત્યારે તે ઉપશમ શ્રેણિ માંડે છે. ભેગવવાનાં કમોને ડાબી દઈને આગળ ઉડે છે. ત્યાંથી બાકીનાં કમોં ભેગવવાં પાછા તે ઉતરવું પડે છે પણ એક વાર ઉચ્ચ શાનો સ્વાદ લઈ આવે છે. આવી ઉપશમ શ્રેણિ એક ભવમાં બેવાર કેટલાક પ્રાણી માંડે છે અને આખી સંસારયાત્રામાં ચાર વાર થાય છે. અગીઆરમાં ગુણસ્થાનકેથી પાછો પડી જાય છે ને સાતવેદની ભેગવે છે. અંતે જરૂર મેક્ષ જાય છે. કેટલાક સીધી ક્ષપક શ્રેણિ જ માંડે છે તે તે આગળ વધતા જ જાય છે, તેને પાછા હઠવાની જરૂર પડતી નથી. આ ઉપશમ શ્રેણિની હકીકત બીજ કર્મગ્રંથમાંથી જોઇ લેવી. ૨ નિઝામણા અંત્ય સમયની આરાધના. ૩ સવયંસિદ્ધઃ ભેગા કર્મો ભોગવવાં જ્ઞાનાનંદમાં કાળ ગાળવા માટે આ પાંચમું વૈમાનિક દેવોનું સ્થાન છે. ત્યાં સુખશધ્યામાં પડ્યા પડ્યા તેત્રીશ સાગરપમ સુધી જ્ઞાનને આનંદ કરે છે. ત્યાંથી ચ્યવન થયા પછી મનુષ્યને ભવ પામીને તે જ મનુષ્યના ભવેથી મેક્ષ જાય છે. પુણ્યના વધારાને સરખે હિસાબ કરવા જ આ સ્થિતિ થાય છે. ત્યાં ઉપાધિ કઈ પ્રકારની નથી, છતાં સેનાની બેડી જેવી સ્થિતિ છે. મોક્ષને આનંદ આત્મિક છે, અદ્ભુત છે; તેના પ્રમાણમાં આ આનંદ કાંઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy