SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫]. ચવતી ચેર. ૧૯૯૭ કરવા લાગ્યું. તેઓએ તે વળી પિતાનાં નગરે વિગેરે પણ ફરી વાર સ્થાપન કરી દીધાં, વળી તેઓએ અપ્રમત્તતા નદીમાં મોટું પૂર આણી તેને બે કાંઠે કરી મૂકી, એ નદીમાં જે તકલસિત બેટ હતું તેનો વિસ્તાર પણ વધારી મૂક ચિત્તવિક્ષેપમંડપને શોધીને વધારે સ્વચ્છ બનાવી દીધે, તે મંડપમાં તૃણુ નામની વેદિકા હતી તેને સમારી તૈયાર કરી દીધી, તેને ઉપર વિપર્યાસ નામનું સિંહાસન હતું તેને નવીન સંસ્કાર આપી તૈયાર કરી દીધું, મહામહરાજે પોતાના અવિદ્યા નામના શરીરને પોષણ કરીને પુષ્ટ બનાવી દીધું અને આવી રીતે સર્વ સામગ્રીઓ હાજર તે હતી જ તેને સમારીને-રિપેર કરી કરાવીને બરાબર નવી કરી દીધી. એ પ્રમાણે સર્વ સામગ્રી તૈયાર થઈ ગયા પછી અંદર અંદર વિચારણા ચાલી, પર્યાલચ થયે, અભિપ્રાયની આમંત્રીની પલે થવા લાગી. કેટલીક ચર્ચા થયા પછી વિષયાપ્રેરણું. ભિલાષમંત્રીએ પોતાનો અભિપ્રાય જણાવતાં કહ્યું: અરે રાજાઓ! મિત્રો! તમે સર્વ મારા વચન પર પૂરતો વિચાર કરજે. અગાઉ તમે એક વાર સજજડ હાર ખાઈ બેઠા હતા, ધોળે દિવસે તમે અગ્નિના ભડકા જોયા હતા, એ સર્વ તમને યાદ હશે; તેથી મારે શા માટે ફરી વાર તે વાત તમને યાદ આપવી પડે ! તમે અગાઉ આ બાબતમાં જરા ઓછી દરકાર કરી હતી તેના પરિણામે તમારે લગભગ નાશ થઈ ગયો હતો, તેથી આવી મહત્ત્વની બાબતમાં જરા પણ ગફલતી કરવી કે મંદ આદર કરે એ કઈ પણ રીતે નથી. મને ખાતરી છે કે તમે હવે આ બાબતમાં ઓછી કાળજી તે નહિ જ રાખે. તમે હવે તો બરાબર એવી રીતે પ્રયત્ન કરવા લાગી જાઓ કે જેથી આપણું રાજ્ય કઈ પણ પ્રકારના કંટક વગર હમેશને માટે સ્થાપન થઈ જાય અને આપણી સ્થિતિ જોક્કસ થઈ જાય. વિષયાભિલાષમંત્રીએ જે વિચાર બતાવ્યું તે મહામહના આખા સૈન્યને પસંદ આવ્યું. તેઓએ સવાલ કર્યો કે “એ પ્રસંગે તેઓએ ખાસ કરીને શું શું કરવું પ્રાસંગિક ગણાય? જેના જવાબમાં વિષયાભિલાષમંત્રીએ તત્કાળકર્તવ્યકાર્યો જણાવી દીધાં. આ રીતે તેઓની અંદર અંદરની સલાહ પૂરી થઈ. ૧ આ પ્રમત્તતા નદી બેટ વિગેરે સર્વ નામો ચોથા પ્રસ્તાવમાં આવી ગયાં છે, વાચનારાઓને તે નામને પરિચય સ્મરણમાં હશે જ, ૨ નદીમાં મોટું પૂર આવે ત્યારે નદી બે કાંઠે થઈ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy