SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ મહાભકા–“ભગવાન ! ચોરને મારી નાખવાને સ્થાનકે લઈ જવામાં આવે છે એમ આપશ્રીએ જણાવ્યું, તે સાહેબ! એ ચોર કઈ રીતે છૂટી શકે ખરે કે નહિ? તે જણાવવા કૃપા કરે.” આચાર્ય કેવળી–“એને તારું દર્શન થશે અને એ અમારી સમક્ષ આવશે ત્યારે એનો એક્ષ-છૂટકારે થશે.” મહાભદ્વા–તે ભગવાન ! હું એની સામે જઉ ?” આચાર્ય કેવળી-“હા જાઓ. એમાં જરા પણ વાંધા જેવું નથી. પછી અત્યંત કરૂણાથી ભરપૂર હૃદયવાળી મહાભદ્રા મારી સન્મુખ આવી, મારી નજીક આવી અને મને કહેવા લાગી “ભદ્ર! ભગવાન સદાગમ મહાત્માનું શરણું લે.” આ પ્રમાણે કહેવાની સાથે જ એ મહાભદ્રા પ્રવર્તિની મને ભગવાનની સમક્ષ લઈ આવ્યા. આખી પરિપદે મને મારવાને સ્થાનકે લઇ જવાતાં ચેરના આકારમાં અને વેશમાં જે. જે વખતે મેં ભગવાનને દૂરથી જોયા તે વખતે મુખેથી વર્ણવી ન શકાય તેવા સુખના રસમાં હું પડી ગયે, લદબદ થઈ ગયે અને એ રસની સુંદર અસરને લઈને મને મૂછ આવી ગઈ. જ્યારે પાછો હું સુરતમાં સાવધાન થયું ત્યારે મેં ભગવાનનું શરણ લઈ લીધું, ભગવાનનો આશ્રય સ્વીકારી લીધો અને ભગવાને પણ બીશ નહિ” એટલું વચન બોલીને મને આશ્વાસન આપ્યું. ભગવાનના વચનથી મને અભયદાન મળી ગયું. પેલા રાજપુરૂષ (દુષ્ટાશય વિગેરે ) જેઓ મને વધ કરવાને સ્થાનકે લઈ જવા સારૂ આવ્યા હતા અને મારી સાથે હતા તેઓ તે ભગવાનના ભયથી દૂર જ નાસી ગયા. મને પકડનારા તેઓ દૂર થઈ ગયા અને ભગવાનની શાંત મુદ્રા મારી સન્મુખ રહી એટલે થોડા વખતમાં જ હું સાવધાન થઈ ગયે. પછી તે મને મારે વૃતાંત પૂછડ્યો અને મેં પણ આ ભગવાન સમંતભદ્રને, મહાભદ્રાને, પુંડરિકનો અને તારે પોતાનો આખો હેવાલ વિસ્તારથી કહી સંભળાવ્યું. જો કે તારે પિતાને હેવાલ તો તારા ખાસ જાણ વામાં છે, તે અનુભવે છે, છતાં તારી પોતાની ચોક્કસ ખાતરી કરવા માટે અને તને લાભ થાય તેટલા સારૂં મેં તને ફરીથી કહી સંભળાવ્યો છે, એને ખાસ હેતુ એ છે કે તેને બરાબર પ્રતીતિ થાય કે આ પ્રાણી (પિત-સંસારીજીવ) જે વાત કરે છે તે ચોક્કસ નિર્ણય થયેલી વાત જ કહે છે અને તેમ થાય ત્યારે જ તને બીજી સર્વે બાબત ઉપર પણ પાકે ભરોસે બેસે. કહે, હવે તને મારી વાત ઉપર ભરોસો બેઠે? ૧ મોક્ષક શબ્દ અત્ર બેવડા અર્થમાં વપરાયેલો છે તે સમજી લેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy