SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરાવ ૮ તે સમર્થ થઈ શકી નહિ. એ તો એકી સે (નજરેપ્રવર્તિની સામે જ જોઈ રહી. પછી તેણે પિતાના પિતાને કહ્યું “મારે તે આ ભગવતીના ચરણકમળની ઉપાસના કરવી છે, માટે આપ જે રજા આપો તો હું પણ તેઓશ્રીની સાથે સર્વત્ર વિચરૂં-હરૂં ફરું.” દીકરીની આવી માગણી સાંભળીને માતા સુમંગળ તે રડવા મંડી ગયા પરંતુ રાજાએ એને રાતાં વારી અને કહ્યું “દેવી ! રૂદન કરવામાં શું લાભ છે? દીકરીને જેમ હસ થાય અને એનું મન વધે તેમ એને કરવા દે. એને વિનોદ ઉપજાવવાને આ જ ઉપાય છે અને એ માર્ગે જ એ ઠેકાણે આવશે. મારે મત એવો છે કે એ સાધવીશ્રીની સાથે સર્વ સામગ્રી લઈને ભલે રહે, ગૃહસ્થ તરીકે રહે અને સાધ્વી શ્રી જ્યાં જાય ત્યાં તે પણ સાથે હરે ફરે, પણ આપણને પૂછ્યા વગર એણે દીક્ષા લેવાનું નામ લેવું પિતાશ્રીને એ હુકમ સુલલિતાએ માન્ય કર્યો. પછી પિતાની રજાથી એ તે પ્રવર્તિનીની સાથે રહી. પિતામાતા ઘરે ગયા. સુલલિતા પ્રવતિની મહાભદ્રા સાથે અનેક દેશોમાં ફરી. એને એટલે આકરે જ્ઞાનાવરણીય કર્મને ઉદય હતો કે એક પાઠ પણ એને મોઢે ચડે નહિ, સાધુ સાધ્વીના આચાર કે શ્રાવકની આવશ્યકોનો ક્રમ એ બાપડીને આવડે નહિ, એને આગમના પાઠે સમજાવવામાં આવે પણ એનો ભાવાર્થ એને જરા પણ સમજાય નહિ. ભગવતી મહાભદ્રા ફરતા ફરતા આ શંખપુર નગરમાં આવી પહોંચ્યા. ગૃહસ્થના વેશમાં તેમની સાથે સુલલિતા પણ અહી આવી. તેઓ નંદશેઠના ઘરમાં ઘંઘશાળામાં ઉતર્યા.' ૧ ઘંઘશાળા ધંધશાળા એટલે ગૃહશાળા. ઘરમાં શ્રાવકે સામાયીક પપપ કરવા ખાનગી કપાશ્રય જેવું રાખે છે, ત્યાં સાધુધર્મની ભાવના કરે છે અને માત્મચિંતવન કરે છે. એવી ઘરથી અલગ પણ ખાનગી શાળાઓને પંપાળા કહેવાય છે. ૨ સર્વ સંમીલન કરવા સારૂ હકીકત સ્પષ્ટ કરવા સંસારી જ હીત પ્રકરણ ૧૨ માં શરૂ કરી છે તે હજુ ચાલુ છે. આ પ્રકરણમાં જીતવા અને પ્રજ્ઞાવિસાળાની ઓળખાણ આપી. હવે આવતા પ્રકરણમાં ભવ્યા અને સદાગમનો પરિચય થશે. બરાબર લયપૂર્વક વાંચવા વિકસિ છે, પણ વખતમાં બધી વાતના ખુલાસા થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy