SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ પણ ભવિતવ્યતાએ સંસારમાં રખડાવ્યા અને અનેક સારાં ખરાબ રૂપો કરી બતાવ્યાં. ત્યાર પછી એમ હકીકત બની કે એ કંદમુનિએ એક વાર ભાયાકપટ કર્યું એટલે ભવિતવ્યતાએ કંદમુનિના જીવને આ સુકાછવિજયની અંદર આવી રહેલા હરિપુર નામના નગરમાં લઈ આવી. હવે એ હરિપુરમાં ભીમરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને સુભદ્રા નામની મહારાણું હતી. એ રાજારાણીને સમંતભ નામને એક પુત્ર હતો. એ સુભદ્રા રાણીની કુખમાં કંદમુનિના જીવને ભવિતવ્યતાએ મુક, પણ માયાકપટ કરેલ હતું તેથી તેને સ્ત્રીનું રૂપ આપ્યું. અનુક્રમે પુત્રીપણે કંદમુનિના જીવને જન્મ થયો. તેનું માતપિતાએ મહાભદ્રા નામ સ્થાપન કર્યું. હવે સમંતભદ્ર રાજપુત્રને એક વખત સુઘોષ નામના મુનિરાજને ગ છે, તેમની ધર્મદેશના સાંભળીને તેને વૈરાગ્ય થયે, માતપિતાને રામજાવીને તેણે દીક્ષા લીધી, અભ્યાસ કર્યો અને થોડા વખતમાં દ્વાદશાંગી જાણનાર-ધારણ કરનાર મહાજ્ઞાની ગીતાર્થ થયા. યોગ્ય જા ને ગુરૂમહારાજે તેને આચાર્યપદે સ્થાપન કર્યો અને ત્યાર પછી તે જગતમાં સમંતભદ્રાચાર્યના નામથી ઓળખાવા લાગ્યા. - રાજપુત્રી મહાભદ્રા પણ અનુક્રમે યૌવનવય પામી. એને માતપિતાએ ગંધપુર નગરના રાજા રવિપ્રભ અને રાણી પદ્માવતીના પુત્ર દિવાકર સાથે પરણાવી. એ દિવાકર કાળવશ પડીને અસ્ત પામી ગ (મરણ પામ્યો. પ્રસંગ જોઈને સમતભદ્રાચાર્યે પોતાની સંસારીપણુની બહેન મહાભદ્રાને ગ્ય ઉપદેશ આપે, સંસારની અસ્થિરતા બતાવી અને આત્મહિત કરનાર મોક્ષમાર્ગના સાચા રસ્તાઓ દાખવ્યા. સત્ય જ્ઞાનને ઝળકાટ થતાં મહાભદ્રાએ દીક્ષા લીધી. એ વિદ્વાન ભાઇની બહેન પણ ઘણું વિદ્વાન નીવડી, એણે અભ્યાસ ઘણે કર્યો, થોડા વખતમાં એ પણ અગીઆર અંગ ધારણ કરનારી થઈ, ગીતાર્થે થઈ, શક્તિવાળી સાથ્વી થઈ. એની યોગ્યતા જોઈ આચાર્યશ્રીએ એ ગીતાર્થો સાવીને પ્રવર્તિની પદે સ્થાપના કરી. ૧ મહાભદ્રા તે આપણી પ્રજ્ઞાવિશાળ છે તે આગળ જણાશે. અને સમંતભદ્ર એ સદાગમ છે તે પણ હમણું જ જોવામાં આવશે. બહુ લક્ષ્યપૂર્વક વાંચવા વિજ્ઞપ્તિ છે. વાતમાં જરા પણ ગોટાળે નથી. પણ લક્ષ્ય નહિ રહે તે વાત સમજાશે નહીં. ૨ પ્રવતિની સાધ્વીની ઉપરી, સાધ્વીઓની નિયંત્રણું કરનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy