SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ પણ ત્યાં કિલિવષિક દેવતા થશે અને વળી મનુષ્ય થઈને વ્યંતરના પાડામાં પણ જઈ આવ્યું. ત્યાર પછી વળી મનુજગતિમાં ઘેર બાળ તપ (અજ્ઞાન તપ) કર્યા પણ મનમાં ક્રોધને ધમધમાટ બહુ આવવાથી તેમ જ તપને ગૌરવ પણ બહુ જ રહ્યો તેથી ભુવનપતિમાં જઈ આવ્યું. આવી રીતે દેવગતિની અધમ જાતિઓમાં રખડ્યા કર્યો. વળી પાછા મેં અજ્ઞાનપૂર્વક તાપસનાં વ્રતો લીધાં, ત્યાંથી તિમ્ દેવામાં અનેક વાર ફરી આવ્યો-આવી રીતે મારી ભાર્યા અનેક વાર નીચા પ્રકારના દેવમાં લઈ ગઈ. એક વાર માનવાવાસમાં લઈ આવે અને પાછી દેવગતિમાં લઈ જાય. એમ કરતાં જૈની (દ્રવ્ય) દીક્ષા દ્રવ્ય દીક્ષા. પણ લીધી, તપથી દેહ ને તપવા પણ માંડ્યો અને ક્રિયાની ધમાલ પણ કરવા માંડી અને ધ્યાનના અને ભ્યાસમાં પણ પડઘો, પરંતુ હું અંદરથી હજુ તદ્દન મૂઢ હેવાથી સમ્યગદર્શનથી રહિત જ રહ્યો અને સવૈજ્ઞમહારાજે ભાષેલા એક પદ ઉપર વાક્ય ઉપર કે અક્ષર ઉપર ખરી શ્રદ્ધા રાખતા નહિ, એના ઉપર પ્રતીતિ રાખતો નહિ અને એમાં મનને પરવડે નહિ. ભદ્ર! અગ્રહીતસંકેતે ! દ્રવ્ય દીક્ષાને પરિણામે હું અનેક વાર નવ રૈવેયકે પણ જઈ આવ્યું અને વળી વચ્ચે વચ્ચે માનવાવાસમાં પણ આવતે રહ્યો. સુંદરિ! મારે આટલા બધા રખડપાટા શા માટે કરવા પડ્યા તેનું મુદ્દામ કારણ છે તે પણ તને કહી દઉં, કારણ ભ્રમણું કારણ કે હવે મારી વાતને છેડે આવે છે. એનું કારણ એ છે કે “સિંહ” નામથી જ્યારે હું આચાર્ય થયું હતું તે વખતે હમણાં જ મેં તને જણાવી તેવી શિથિલતા કરી હતી તેને લઈને મારે આવડે મેટે રખડપાટ થયે. જે તે વખતે જ મારી ચિત્તવૃત્તિને નિર્મળ કરીને અને શત્રવર્ગને નાશ કરીને પ્રગટ થયા હેત તે રાજ્ય પર બેસી જાય અને અત્યાર પહેલાં ક્યારનેએ નિર્વતિનગરીમાં પહોંચી ગયો હત; પરંતુ મારું ભ્રમણ થઈ ગયું, મારે આવડે મોટો રખડપાટો થયે તે મારી પોતાની દુષ્ટ ચેષ્ટાનું જ પરિણામ હતું એમાં બીજું કઈ કારણ નથી, બીજા કોઈને વાંક નથી. * * કેલિવષિક દેવ પ્રથમ અને બીજા દેવલોકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રીજા અને ચોથા દેવલોકની નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને પાંચમા અને છઠ્ઠા દેવલોકની નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા અધમ દે હોય છે, દેવલોકમાં ચંડાળ જેવા ગણાય છે, હલકા દેવ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy