SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ત્યાર પછી તે સુચના! હું અનેક વખત માનવાવાસમાં જઈ આવ્યો. ત્યાં કર્મભૂમિમાં અકર્મભૂમિમાં અને અંતર માનવાવાસે. દ્વીપમાં મનુષ્ય થઈ આવ્યું અને ત્યાં નરાકાર ધારણ કરીને હું ઘણે કાળ રહ્યો. તેમાં અકર્મભૂમિમાં ગયો ત્યાં મરજી પ્રમાણે આનંદથી કેઈક વાર એક પલ્યોપમ રહ્યો, કઈ વાર બે પલ્યોપમ રહ્યો અને કઈ વાર ત્રણ પલ્યોપમ પણ રહ્યો અને વળી કલ્પવૃક્ષથી મનોવાંછના પૂરી કરી મજા કરી. ત્યાં આગળ જેટલાં પલ્યોપમનું આયુષ્ય તેટલા જ કેસનું મોટું શરીર પણ મેળવ્યું અને વળી અનેક પ્રકારના ભોગે ભેગવી મજા કરી. ત્યાં સુખે આહાર કર્યો, અને આશય ઈરાદામાં વિશુદ્ધતા પણ આપ્યું. એ માનવાવાસમાં મેં ૧ કેસઃ મૂળમાં ગયુત શબ્દ વાપર્યો છે. કેસ અથવા ગચુત એટલે આઠ હજાર હાથ. અકર્મભૂમિનાં શરીરે મોટાં હોય છે. નીચેની નોટ જુઓ. ૨ માનવાવાસઃ મનુષ્યના મુખ્ય ત્રણ ભેદ છેઃ કર્મભૂમિજ, અકર્મભૂમિન અને અંતરદ્વીપભૂમિજ. જ્યાં વ્યાપાર ખેતી નામ ધંધે હોય તેને કર્મભૂમિ કહેવામાં આવે છે. જંબુદ્વીપમાં ભરત, ઐરવત અને મહાવિદેહ નામે ત્રણ કર્મભૂમિઓ છે, ધાતકીખંડમાં બે બે ભરત ઐરવત મહાવિદેહ છે, પુષ્કારાર્ધમાં પણ બે બે છે; એટલે કુલ પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ મળી પંદર કર્મભૂમિઓ થઈ. એ પંદર કર્મભૂમિમાં અસિ મસિ કૃષિનો ઉપયોગ થાય છે અને તેમાં ઉત્પન્ન થનાર મનુષ્ય કર્મભૂમિજ કહેવાય છે. જંબુદ્વીપના મધ્યમાં મેરૂપર્વત છે, તેની દક્ષિણે ભરતક્ષેત્ર છે જેમાં આ પણે રહીએ છીએ. અને ઉત્તરને છેડે હેમવંત નામનો પર્વત છે, તેની ઉત્તરે હેમવંત નામનું યુગળીઆનું ક્ષેત્ર છે, તેવી જ રીતે સામે ઐરવતને દક્ષિણ છેડે શિખરી નામને પર્વત છે તેની દક્ષિણે હિરણ્યવંત નામનું યુગળીઆનું ક્ષેત્ર છે. એ બન્ને ક્ષેત્રમાં યુગળીઆ રહે છે, કલ્પવૃક્ષ તેમની ઇચ્છા પૂરી પાડે છે, એક કાસનું તેમનું શરીર હોય છે અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. અવસર્ષણીના ત્રીજા આરાના ભાવ ત્યાં સદા વર્તે છે. આ બે અકર્મભૂમિ થઈ. હેમવંતક્ષેત્રની ઉત્તરે મહાહિમવંતપર્વત છે તેની ઉત્તરે હરિવર્ષ નામનું ક્ષેત્ર છે, તેમજ હિરણ્યવંત ક્ષેત્રની દક્ષિણે રૂપી નામને પર્વત છે તેની દક્ષિણે ૨શ્યક નામનું યુગળીઆનું ક્ષેત્ર છે. આ બન્ને ક્ષેત્રમાં યુગળી આ રહે છે, કલ્પવૃક્ષ પર જીવન ગાળે છે, બે કેસનું શરીર, બે પલ્યોપમનું આયુષ્ય અને ત્યાં અવસાર્પિણીના બીજા આરાના ભાવ વર્તે છે. આ બીજી બે અકર્મભૂમિ થઈ. એ હરિવર્ષક્ષેત્રની ઉત્તરે નિષધ નામ પર્વત છે તેની ઉત્તરે દેવકર નામનું યુગળીઆનું ક્ષેત્ર છે, તેમજ ઐરાવતની બાજુએ રમ્યક ક્ષેત્ર ઉપર બતાવ્યું તેની દક્ષિણે નીલવંત નામને પર્વત છે તેની દક્ષિણે ઉત્તરકર નામનું યુગલિક ક્ષેત્ર છે. આ બન્ને ક્ષેત્રમાં યુગળીઆ [ ચાહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy