SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧] રખડપાટો. ૧૯૬૫ પાદિય સેનાપતિને આગળ કર્યો છે. વળી એ મહારાજાએ મને ( આયુષ્યને ) એકાક્ષનિવાસ નગરે સ્થાપન કર્યો છે અને પેલા તીવ્રમોહાદય સરસુખને અને અત્યંત અબાધ સેનાપતિને બોલાવ્યા છે. વળી એ મહારાજા કર્મપરિણામ હાલમાં કેઈ કારણથી સાત વેદનીય ઉપર ગુસ્સે થઈ ગયા છે તેથી તેનું સર્વસ્વ હરણ કરીને તેને તદ્દન નિર્માલ્ય બનાવી દીધો છે, એ કાંઈ પણ કરી ન શકે એવી ખરાબ હાલતમાં તેને મૂકી દીધો છે. છેવટે એવો હુકમ નીકળે છે કે આ સંસારીજીવને સાથે લઈને એના આખા પરિવાર સંગાતે આપણે બન્નેએ પેલા તીવ્રમેહદય અને અત્યંત અબોધ સાથે એકાક્ષનિવાસ નગરમાં જઈને વસવું. હાલ તુરતને માટે આ પ્રમાણે ઠરાવ થયો છે. અને ભગવતી ! તમે કહો છો કે મારે પેલા જીવને (તમારા પતિને) વસવાનું સ્થાન બતાવવું! તે એમાં મારે બતાવવાનું શું છે? આપ પિતે એ હકીકત જાતે સારી રીતે જાણો છે!! મારા ઉપર ખાસ પ્રેમ લાવીને મારી પાસે એ વાત આપ બોલાવો છો ! બાકી એમાં નવું અથવા નહિ જાણેલું તમારે માટે શું છે?” ભવિતવ્યતા–“ભદ્ર આયુષ્ય ! તારી વાત તો સાચી છે! જ્યાં તારે જવાનો નિયોગ થયો હોય ત્યાં મારે આર્યપુત્રની સાથે બધાએને લઈને અવશ્ય વસવાનું જ છે; પરંતુ હજુ એમાં એક વાત છે તે ખાસ વિચારવાની છે. હજુ મારા આર્યપુત્ર ત્રણ ભાગ એટલે કાળ હાલ અહીં રહેશે. એટલે વખત પૂરે થઈ જશે એટલે પછી અમે સર્વ રમતમાત્રમાં ત્યાં (એકાક્ષનિવાસ નગરે) આવી પહોંચશું. આયુષ્યરાજ–“ભગવતી ! આપ જ આ સર્વ બાબત જાણે ૧ એના વર્ણન માટે જુઓ પ્રસ્તાવ. ૨ પ્રકરણ ૮ મું. પૃ. ૩૧૩ થી. ૨ આ સર્વ બાબત મારા ( સંસારી )જીવને આશ્રયીને છે. અમુક રાજા આ જીવ પ્રત્યે કેવી રીતે વર્યાં તેનું આ વર્ણન છે. પ્રત્યેક જીવનાં અંતરંગ રાજ્ય દાં છે તે ખાસ લક્ષ્યમાં રાખવું. સામાન્ય રીતે ખટપટની નજરે જોઈએ તો રાજ્યકાન્તિ થવાની હોય ત્યારે આવી અનેક પ્રકારની ખટપટે થાય છે. ૩ આયુષ્યને જેટલાં વર્ષ હોય તેના ત્રણ ભાગ કરવા, તેમાંથી પસાર થયા પછી બાકીના છેવટના ભાગમાં આયુષ્ય બંધ પડે છે. ૧૨૦ વર્ષનું આયુષ્ય હોય તો ૮૦ વર્ષની વય પછી અને બાકી રહેલાં ૪૦ વર્ષમાં આયુષ્યનો બંધ પડે છે. આયુષ્યને બંધ પડે એટલે તે જવાની ગતિમાં જાય છે, ભવિતવ્યતા સર્વ પરિવારને લઈ પતિ સાથે આયુષ્ય પૂર્ણ થયે તે ગતિમાં જાય છે. નિયોગ માટે તગ્નિગ દૂત આવી ગયો છે (જુઓ પૃ. ૩૦૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy