SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૮૯ ઓ નાશ પામી ગયેલા હોય છે, એમને સર્વ પ્રકારની બાધા પીડા નાશ પામી ગયેલ હોય છે અને એમનાં સર્વ સત્કાર્યો સિદ્ધ થઈ “ગયેલાં હોય છે. આવા મહાત્માઓને કેવું સુખ હોય છે એનું શું વર્ણન કરી શકાય? એના પર કેટલું વિવેચન થાય? આ પ્રમાણે સંસાર ચક્ર-સંસાર લેક અને સિદ્ધ લેકની હકીKકત છે. હવે જરા વધારે વિચાર કરે તો તમને જણાશે કે જે “ પ્રાણીનો આ સંસારમાં જન્મ જ ન થાય તે પછી જરા અને મરણ પણ વગર કહ્યું જ અટકી જાય, કારણ કે જમનાર પ્રાણી જ વૃદ્ધ થાય છે કે મરે છે પણ જન્મરૂપ કારણને જ નાશ થઈ જાય તે “પછી દુ:ખદાયી પરવશપણું અને ત્રાસ ઉત્પન્ન કરનાર જરા અને મરણનો પણ અભાવ થઈ જાય, અને જરા તથા મરણનો અભાવ થઈ જાય એટલે પછી સર્વ દુઃખોને પણ અભાવ જ થઈ જાય. જ્યારે સર્વ દુઃખને અભાવ થઈ જાય ત્યારે શાશ્વત પરમાનંદ-નિરંતરનું આંતરા વગરનું સુખ પ્રાપ્ત થાય. એટલા માટે સિદ્ધ જીવોને “કઈ પણ પ્રકારની બાધા પીડા અટકાયત વગરનું ચાલુ સુખ હમે“શને માટે રહ્યા કરે છે. ? આ તો સંસારથી પાર ગયેલાની વાત થઈ. સંસારમાં જોઈએ “તે જે પુરૂએ બાહ્ય અને અંદરની ધન મિલ્કતનો ત્યાગ કર્યો છે, “જેઓને આ સંસારરૂપ અંદિખાનામાં કોઈ પણ પ્રકારની કે કેદની “સ્પૃહા રહી નથી, જેઓ સર્વ પ્રકારનો સંતોષ રાખી-ધારીને બેસી “ગયા છે અને પિતાના ધ્યાનમાં મસ્ત રહે છે, જેઓ અહોનિશ સમતારૂપ અમૃતરસનું પાન કર્યા કરે છે, જેને કોઈ પણ વસ્તુ કે પ્રાણીને સંગ ઈષ્ટ નથી, જેઓને અહંભાવ તદ્દન નાશ પામી ગયે છે, જેનું અંતઃકરણ તદ્દન નિર્મળ થઈ ગયું છે, તેવા સાધુપુરૂષ “જે કે શરીર ધારણ કરે છે તે પણ સુખી હોય છે- તેઓ જ માત્ર છે સંસારમાં સુખી છે, તે સિવાય બીજા કોઈ સુખી દેખાતા નથી. “એક ખરેખરી ખૂબિની વાત તો એ છે કે આ સંસારમાં સર્વ પ્રા ણીએ સુખ મેળવવાની વાંછા કરે છે, હોંસ રાખ્યા કરે છે પરંતુ “ નિ:સ્પૃહતાની ભૂમિરૂપ એક સાધુપણું સિવાય બીજી કેઈ પણ જગ્યાએ તે સુખ છે નહિ, એટલે પછી જ્યાં સુખ છે જ નહિ ત્યાં તેને શોધવા “પ્રયત્ન કરવો એમાં કાંઈ લાભ મળે એ ફેકટની આશા છે. તેટલા માટે હે સત્વવાન પ્રાણુઓ! તમે વિચાર કરે, તપાસ “કરે, નિર્ણય કરે, તમને જણાશે કે આ સંસારમાં સુખ હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy