SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૭ ત્યાર પછી એ ઉપરનાં પગથી ઉપર ચઢવા અસમર્થ થશે. એ વાંદરાનું બચ્ચું તારું જીવન હોવાથી અંતર ધન હોવાથી અને તારી સાથે એકીભૂત હોવાથી તે જેમ જેમ ઉપર ચઢતું જાય છે તેમ “તેમ તે પોતે પણ ઉપર ચઢતે જાય છે. હવે એ બચ્ચું તે “ઉપર ચઢવા અસત હોવાથી આગળ વધી શકતું નથી તેથી તેને ત્યાં જ છોડી દઈને તારે પિતે જ આગળને પગથીએ ચઢવું. છેવટે “એ પગથી પણ છોડી દઈને પોતાની તાકાતથી પંચ હસ્વાક્ષર “ કાળ કઈ પણ જાતના ટેકા વગર આકાશમાં સ્થિર રહીને પછી પેલો ઓરડો છોડી દઈ, ગર્ભગૃહનો ત્યાગ કરી, વાનરને મૂકી દઈ, એક ઝપટ મારીને બજારને માર્ગ પણ છેડી દઈ, એક તડાકે ઉડીને તારે મઠમાં પેસી જવું અને ત્યાં તારી અગાઉ ગયેલા લોકોની વચ્ચે “અનંત કાળ સુધી રહેવું અને અનંત આનંદનો અનુભવ કરો.” મેં (છઠ્ઠા મુનિએ) કહ્યું કે “જેવી ગુરૂમહારાજની આજ્ઞા !”— ભાઈ અકલંક ! એ વાંદરાનું બચ્ચું એવી રીતે મઠમાં લઈ જવા સમર્થ છે એમ મારા ગુરૂમહારાજે મને તે વખતે અણુવ્યું હતું.” ગુરૂમહારાજ(છઠ્ઠા મુનિરાજ )ના ભાવાર્થથી ભરપૂર અત્યંત રહસ્યવાળાં ઉપરનાં વચને સાંભળીને અકલંક તે મુનિરાજને વંદન કરી બોલ્યા “હે મુનિરાજ ! ગુરૂએ આપને ઘણે સુંદર ઉપદેશ ર્યો અને આપે તેને અનુસરવા આરંભ કર્યો તે પણ બહુ સુંદર કર્યું! આપના જેવા પ્રભાવશાળીને તે જ યોગ્ય ગણાય.” આ પ્રમાણે છઠ્ઠ મુનિરાજને કહી નમન કરી અમે આગળ ચાલ્યા. ૧ તેરમા ગણસ્થાનકે મનને પ્રગ અટકી જાય છે. કેવળીને ભાવ મન નથી. શુકલધ્યાનના પ્રથમ બે પાયામાં મન જ કામ કરે છે. એના વિશેષ વિવેચન માટે જુઓ જે. દ. યોગ પૃ. ૧૭૪-૧૮૨. ૨ પંચત્તાક્ષર-અગી ગુણસ્થાનને કાળ પાંચ હસ્વ અક્ષર અરઢ બોલીએ તેમાં વખત લાગે તેટલો છે. તેમાં ગુણસ્થાનકપર્યત લેશ્યા હોય છે, ચદમાં ગુણસ્થાનકે લેશ્યા હોતી નથી. ચોદમું અગી ગુણસ્થાનક વેશ્યાહિત હોય છે. ૩ એક ઝપક-જે સમયે કર્મથી મુક્ત થાય છે તે જ સમયે કમાનમાંથી બાણ છૂટે તેમ સીધી ગતિએ પ્રાણ શિવાલયમાં જાય છે. હલકી વસ્તુ ઉ૫ર પહોચે તેમ કર્મભારથી મુક્ત આત્મા લોકને અંતે સ્વભાવે તે જ સમયે પહોંચી જાય છે. એટલા માટે “એક ઝપટ” કહેવામાં આવી છે. અને મોક્ષમાં તો અનંત કાળ રહેવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy