SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮]. સંસારબજાર (ચાલુ). ૧૫ લું છે જે પેલા વાંદરાના બચ્ચાનું સંબંધી થાય છે. એ ટોળામાં “વિ “શુદ્ધ ધર્મ” નામનો એક મેટે વાંદરે તેને આગેસંબંધી વાન- “વાન છે, પ્રશમ દમ સંતોષ સંયમ સબોધ વિગેરે જેનું યૂથ. “તેને પરિવાર છે, વળી ધૃતિ, શ્રદ્ધા, સુખપ્રાપ્તિ, વિ “વિદિષા ( જાણવાની ઈચ્છા-જિજ્ઞાસા), નિઃસ્પૃહતા. “વિગેરે સુંદર વાંદરીઓ તે ટેળામાં હોય છે અને ધૈર્ય, વીર્ય, ઔદાર્ય, “ગાંભીર્ય (ગંભીરતા), શૉડીર્ય ( ગર્વ-pride), જ્ઞાન, દર્શન, તપ, સત્ય, વૈરાગ્ય, અકિંચન્ય (નિષ્પરિગ્રહપણું ), માર્દવ (માન ત્યાગ, નિર્માની“પણું), આર્જવ (સરળતા–ભાયાત્યાગ), બ્રહ્મચર્ય, શૌચ (પવિત્રપણું ) “વિગેરે બીજા નાનાં વાંદરાના બચ્ચાં તે ટોળામાં હોય છે. જ્યારે એ વાંદરાનું બચ્ચું પેલી પછવાડેની ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં પગથીઆપર ચઢવા માંડે છે ત્યારે પેલો મહાવાનર વાંદરી અને વાંદરાના “એ બચ્ચાઓમાંના કેઈ કઈ કઈ કઈ જગ્યાએ કવચિત્ પ્રગટ થાય છે તે સર્વ પિલા વાનરના ટેળામાંથી હોય છે. તારું જે વાંદરાના “બચ્ચાંનું રૂપ છે તેને એ સર્વ (મહાવાનર-તેને પરિવાર-વાંદરીઓ અને વાંદરાના બચ્ચાંઓ) શરીરરૂપ છે, જીવનભૂત છે, સર્વસ્વ છે, અને “ખરું સાચું હિત કરનાર છે; વળી એ વાંદરાનું ટોળું સ્વરૂપમાં સ્થિર “હોય છે. સૂર્યના જેવું તેજસ્વી પ્રકાશમાન હોય છે, પોતાના દર્શનીય “વર્ણથી જગતને આહાદ કરાવનાર હોય છે, પેલા ગોખલાની બારી એને નાકે આવી રહેલાં વિષયવૃક્ષે જેને આંબાના ઝાડ જેવાં સુંદર “કલ્પવામાં આવેલાં હોય છે તેના તરફ તે ઈચછા અભિલાષા વગરનું “હાય છે અને અર્થનિચય સંપત્તિરૂ૫ ફળ ફૂલ રજ અને કચરામાં “આળોટવાની સ્પૃહા વગરનું હોય છે. આવું મજાનું વાંદરાનું ટોળું ત્યાં કઈ કઈ જુદી જુદી જગ્યાએ જુદાં જુદાં પગથીઓ પર માલૂમ પડે છે. આ પિતાના ખાસ સંબંધી અને હિત કરનાર વાંદરાના ટેળાને એ પ્રકાશમાન નવીન ઉપરના માર્ગમાં મળતાં તારું “વાંદરાનું બચ્ચું (૩૫) ઘણું આનંદમાં આવી જશે અને અત્યંત હપૈમાં આવી ઉપર ઉપરને પગથિયે ચઢતું જશે અને છેવટે એ છઠ્ઠી નારી(શુકલ લેયા)એ બનાવેલા માર્ગ સુધી પહોંચી જશે. ત્યાં “એ વાંદરાનું કેળું શુકલધ્યાન નામના ગોરૂચંદનના રસનું ઠંડું વિલે જ પન એ વાનરના અચાને આખે શરીરે કરશે. શુક્લધ્યાન “એ છઠ્ઠી સ્ત્રીએ બનાવેલા અતિ સુંદર માર્ગ પર વિ લે ૫ ન. “ચઢતાં ચઢતાં જ્યારે અધે રસ્તે એ બચું આવી “પહોંચશે ત્યારે ગાઢ આનંદમાં ગરકાવ થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy