SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬] ચાર વ્યાપારી કથાનક. ૧૭૦૯ સ્પષ્ટ ભાવાર્થ-વિવેચન, ભાઈ ઘનવાહન! મુનિરાજે આ વાર્તા કરી તે ઢંગધડા વગરની નથી, અસંબદ્ધ નથી. એમાં ઘણે ઊંડે ભાવ રહેલું છે તે તું બરાબર ધ્યાન રાખીને સાંભળ. “મૂળ કથામાં જે વસંતપુર નગર કહેવામાં “આવ્યું હતું તે અત્ર અસંવ્યવહાર જીવરાશિ સમજવી. વેપાર કરનારાઓ તરીકે ત્યાં બરાબર નામ આપવામાં આવ્યાં છે તેને સાર્થક કરનારા ચાર પ્રકારના જીવો સમજવા. ત્યાં સમુદ્રની વાત કરવામાં “ આવી હતી (જેને ઓળંગીને વાણીઆઓ રદ્વીપે જાય છે ) તે “અત્ર સંસારનો વિસ્તાર સમજ: સમુદ્રમાં પાણું હોય છે તેમ “આ સંસારવિસ્તારમાં જન્મજરામરણરૂપ પાણી હોય છે, સમુદ્રને પાર પામવો મુકેલ પડે છે તેમ સંસારવિસ્તારનો પણ મિથ્યા“દર્શન અને અવિરતિને લઈને પાર પામ ઘણું મુશ્કેલ છે, સમુદ્રમાં ચાર મેટો પાતાળ કળશે છે તેમ સંસારવિસ્તારના સંબંધમાં મહા “ભયંકર ચાર કષા રૂપ પાતાળ કળશો હોય છે, સમુદ્રમાં વારંવાર મહાત્ આવતું થયા કરે છે અને તેથી તે ભયકર લાગે છે તેમ સંસારના વિસ્તારમાં મહામહ રાજાના આવર્તે વારંવાર થયા “ કરે છે અને તેથી તે ઘણે ભયંકર જણાય છે, સમુદ્રમાં અનેક મોટા “મોટા બજળચર જીવો ભરેલા હોય છે તેમ સંસારવિસ્તારમાં અનેક ૧ અસંવ્યવહાર રાશિ. રાક્ષ્મ અનંત નિગોદ. એના વિવેચન અને સ્વરૂપ માટે બીજા પ્રસ્તાવનું પરિશિષ્ટ જુઓ. ૨ સાર્થક- જૂદા જૂદા વિકાસક્રમ પર હોય છે. ચારૂનો વિકાસ બહુ સાર થયેલો છે, યોગ્ય અને હિતજ્ઞનો તેથી અનુક્રમે છે-જ્યારે બહુ થોડે વિકાસ પામેલે મૂઢ પાછો અપક્રાન્તિમાં પડી જાય છે. આથી ત્યારે પ્રકારના જીવો પોતાનાં નામ પ્રમાણે ગુણવાળા છે એમ કહ્યું. - ૩ પાર-છેડ. ગંભીર. સંસારમાં અજ્ઞાન અને અત્યાગને લઈને છેડે પ્રાપ્ત થતું નથી અને તેથી તે પણ સમુદ્ર પેઠે ગંભીર જણાય છે. મિથ્યાદર્શન એ અજ્ઞાન છે અને અત્યાગ તે સાંસારિક વિષયેની આસક્તિ છે. ૪ લવણ સમુદ્રમાં ચાર પાતાળ કળશ છે. રવદ્વીપ લવણ સમુદ્રમાં છે. કષાયે ચાર છે તેથી આ અર્થ ઘટે છે. * ૫ આવ-પાણી કેટલીક જગ્યાએ સમુદ્રમાં ચક્રાકાર ફરતું રહે છે (whirlpool) તેમાં વહાણ આવી જાય તો ફસી પડે છે-આવાં આવર્તી સંસા૨માં મહારાજ આખો વખત કર્યા કરે છે તે મહારાજાના વર્ણનમાં આપણે અગાઉ જોયું છે. ૬ જળચરમગરમચ્છ, વહેલ, સુસુમાર, કાચબા, સર્પ વિગેરે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy