SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૭ ચાર–“ભાઈ ! મારે અને તારે આટલે બધે તફાવત પડવાનું કારણ શું? તે તું મને કહે.” યોગ્ય“મેં અત્યાર સુધી શું શું કર્યું તે તું સાંભળ.” એમ કહી યે પિતાની આખી વર્તના કહી સંભળાવી. ચારૂ–“ભાઈ ! વાડી બાગ બગિચાનો તારે શેખ જરા પણ રસાર નથી અને અહીં સુધી આવીને રનો એકઠાં કરવાનું ન થાય અને તે દ્વારા આત્મવંચન થાય તે તારા જેવાને ઘટતું નથી. જે મિત્ર! તું જાણે છે કે રો સુખનાં કારણ છે અને તે મેળવવા માટે આપણે અહીં આવ્યા છીએ, છતાં તે બાબતમાં પૂરતો આદર ન કરવો એ તે આત્મવેરીપણું કહેવાય-એ તે આત્મઘાત કરવા તુલ્ય ગણાય. વળી તે જો, કે બાગબગિચાને શેખ તે ઘણે વખત સુધી કર્યા છતાં તને તેથી રતિષ થયે નહીં, તું ધરાયો નહીં, તેથી તારે પિતાને સ્વાર્થ ખરેખર સધાય તેવાં જ કામ કરવાં એ વધારે ડહાપણભરેલું ગણાય; કારણ કે સ્વાર્થને નાશ કરે એ તો મૃઇ છે, વળી વિચાર કર, કે તું અહીં રતદ્વીપે રન ઉપાર્જન કરવાના હેતુથી જ આવ્યો હતો, છતાં જે કામ માટે તું અહીં આવ્યો હતો તે ન કરતાં બીજા કામમાં પડી ગયો તેથી તને તારા આત્માની લાજ પણ આવતી નથી ? તને એમ થતું નથી કે પિતાનું મૂળ મુદ્દાનું કામ છેડીને તું બીજા કામમાં પડી ગયો છે? માટે હવે ભાઈ ! મારા વચનથી તું આ મજશેખની બાબતે તદ્દન છોડી દે અને માત્ર રન ઉપાર્જન કરવાના કામમાં એક મને લાગી જા અને સઘળો વખત રત્ન એકઠાં કરતો જા. જે તું મારું માનીશ નહિ તે હું તે હવે દેશ તરફ જઇશ, કારણ કે મારું કામ તે લગભગ પૂરું થઈ ગયું છે, પણ હું તને કહું છું કે અત્યાર સુધી જેવી રીતે તે વર્યો છે તે જ પ્રમાણે ચાલુ રાખીશ તો તારા પિતાના સ્વાર્થથી તું ભ્રષ્ટ થઈશ અને નાહક દુઃખી થઈશ.” ચારૂનાં ઉપર પ્રમાણેનાં વચન સાંભળી ગ્ય પિતાનાં મનમાં ઘણું લજવાયો અને એને પિતાના વર્તન માટે ઘણે ખેદ થયું. પછી તે “બંધુ! તું તે ખરે ભાગ્યવાનું છે, પરંતુ તારે હમણુ કૃપા કરીને દેશ ન જવું. તું મને જેમ કહીશ તેમ હું કરીશ. તે ઉપર કહ્યું તે પ્રમાણે સર્વ કરીશ અને તે સિવાય બીજું પણ તું જે કહીશ તે કરીશ, પણ હાલ તું દેશ જ નહિ.” પછી બીજાં સર્વ કામો પડતાં મૂકીને, બીજો બાહ્ય શેખ વિસારી દઈને યોગ્ય માત્ર રત ઉપાર્જન કરવાના કામમાં લાગી ગયે. બુદ્ધિમાનું ચારૂનાં વચનની તેના ઉપર બરાબર અસર થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy