SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] હરિ અને ધનશેખર. ૧૬૩૩ મારી સ્તુતિ કરે છે (આ (૧) ગુણને અંગે વાત થઈ). ત્યાર પછી (૨) સુખના સંબંધમાં વાત કરું તે મને પિતાને મારા મનમાં મારા અંતરમાં એ આમિક સુખને અનુભવ થાય છે અને રાજ્ય કરતી વખતે જ મને એ સુખનો ઉપભેગા થાય છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે, તેનું ગમે તેટલું વિવેચન કરું તો પણ તેનો પાર આવે તેમ નથી. વળી મારી (૩) વિભૂતિ (સંપત્તિ)ના સંબંધમાં તને વાત કરું તે મારે જણાવવું જોઈએ કે મારી પાસે રો( આત્મિક)નાં મોટા મોટા ઢગલા છે અને ચારે પ્રકારના ( આંતરંગ) લશ્કરને જે તને ખ્યાલ આપવા ધારું તો તે માત્ર “અસંખ્યાત” શબ્દથી જ અપાય તેમ છે, મતલબ મારું ચતુરંગ લશ્કર એટલું મોટું છે કે તેની સંખ્યા જ થઈ શકે તેમ નથી, તેને પાર પમાય તેમ નથી. આ મારી વિભૂતિને અંગે વાત થઈ. મારી (૪) ચેષ્ટાઓને અંગે તને વાત કરું તે સંક્ષેપમાં સિદ્ધાન્તમહાત્માએ ઉત્તમરાજની વાત કરતાં તેની જે સર્વ ચેષ્ટાઓ કરી હતી તેવી સર્વ ચેષ્ટાઓ મારી છે, મારાં અનુષ્ઠાનો અને વર્તનો તે પ્રમાણે છે એમ તું સમજ. જેવી રીતે કર્મપરિણામને ઉત્તમ નામનો પુત્ર કહ્યો હતો તે હું થયો છું તેવી જ રીતે બીજા નિકૃષ્ટ વિગેરે તેના છોકરાઓ સંસારમાં જન્મેલા જ છે એમ તારે સમજવું. એ રાજ્ય એક પ્રકારનું છે, વળી પ્રાણીઓ અનેક દેખાય છે અને પ્રવાહમાં કઈ પણ પ્રકારને ખાંડ નાંખ્યા વગર એક સાથે સર્વ પ્રાણીઓ એ રાજ્યને ભોગવે છે. રાજ્યનો પ્રવાહ ચાલે છે અને પ્રત્યેક પ્રાણી એક સાથે એકી વખતે તેને ભગવે છે. આ પ્રમાણે હકીકત છે એનું બરાબર અવલોકન કરવાથી તને તે ફુટ રીતે સમજાઈ જશે. હવે તારે એ સંબંધમાં કોઈ વધારે ખુલાસો પૂછવો હોય તે ખુશીથી મને પૂછી લે.” હરિકમારની સાવધાનતા, પંચમરાજ્ય પ્રયાણેચ્છા. દીક્ષા લેવાને પ્રસિદ્ધ માર્ગ, આચાર્ય ભગવાનના વચનમાં રહેલા ભાવાર્થને બરાબર સમજીને હરિરાજાએ વળી પાછો સવાલ કર્યો “ભગવદ્ ! જે પરમાર્થનજરે સર્વ દેહધારી પ્રાણીઓ જેઓ આ સંસારમાં ભ્રમણ કરી રહેલા છે તે કર્મપરિણુંમરાજાના જ છોકરાઓ છે, જે કર્મપરિણુમરાજા એ સર્વ પ્રાણીઓને તેઓની અંતરંગ ભૂમિ ચિત્તવૃત્તિ નામની છે તેનું રાજ્ય આપે છે, એ મહાભૂમિ છે કે એક જ પ્રકારની છે છતાં પાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy