SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૪. ૧૪૧૩ “જાનિસૃષ્ટ'. હાથી માટે જુદું કાઢેલ ભેજન રાજાજ્ઞા કે હાથીની સંમતિ વગર લેવાય નહિ. એમાં આપનારને નોકરી જવાનો ભય, રાજ્યની સાધુ તરફ અવજ્ઞા અને હાથી સચેતન હેવાથી તેનાથી સાધુ કે ઉપાશ્રયને વિનાશને પ્રસંગ આવે અને તેમાં અદત્તાદાનને પણું દોષ રહેલો છે. આ અનિરુણ દોષમાં “ક” અને “વિભાગના ઘુંચવણ ભર્યા સવાલે પણ કેટલીક વાર હોય છે તેથી તેવી વસ્તુ દેવાભાવની ખાત્રી થયા સિવાય ન લેવી એ વ્યવહારથી પણ પગ્ય છે. સાધુઓને એવી બાબતમાં વચે આવવાથી જુબાની આપવી પડે અને નાની વાત મે ટી થઈ જાય-આદિ અનેક પ્રસંગે આવી પડે છે. ૧૬. “અગવપૂરક, અમુક વસ્તુ પિતાને માટે રાંધવા ચૂલે ચઢાવી હોય, પછી સાધુ ભીક્ષા માટે આવનાર છે એમ જાણી તેમને માટે ભોજન તૈયાર કરાવવા સારૂ તેમાં વધારે કરવો, રંધાતા ભેજનમાં વધારે નાખવું તે “અથવપૂરક દોષ”. અહીં તૈયાર થતી રસાઈ મિશ્ર દોષવાળી થાય છે. જે પ્રથમથી જ પોતા માટે અને સાધુ માટે રંધાતી હોય તો તે મિશ્ર કહેવાય અને પોતાને માટે રસોઈ શરૂ કર્યા પછી તેમાં પાણી કે તંદુલ સાધુને નિમિત્તે વધારાય તે તે અર્થવપૂરક. આ પ્રમાણે ૧૬ ઉદ્દગમ દોષો થયા. એ પિંડની ઉત્પત્તિમાં થતા દે છે. * ૧૬ ઉત્પાદન દેશે. ૧. ધાત્રીપિડી. બાળકને ધવરાવે તે ધાત્રી. અથવા બાળકને ઉછે. રનારને “ધાત્રી' કહે છે. એને પાંચ પ્રકાર છે. દૂધ ધવરાવનાર તે ક્ષીરધાત્રી, નવરાવનાર તે મજજનધાત્રી, કપડાં ઘરેણું પહેરાવનાર તે મંડનધાત્રી, રમાડનાર તે કીડનધાત્રી અને ખોળામાં બેસાડનાર તે ઉસંગધાત્રી. ધાત્રીનું કરણ એટલે સાધન અને કારણું એટલે હેતુ. એ બન્ને બાબત લક્ષ્યમાં લેવાની છે. ધાત્રીપણાને કરનાર અને ધાત્રીપણુના હેતુથી થયેલ પિંડ હોય તે ધાત્રીપિડ” કહેવાય છે. એવી યોજના આગળના દૂતી પિંડ વિગેરેમાં પણ કરી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy