SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. સ્વામીવિષય. સ્ત્રી પુત્ર કે નાકર ઇચ્છા ન કરે છતાં તેમની પાસેથી દૂધ વિગેરે લઇને સાધુને આપે તે પ્રભુવિષય. ચાર જંગલમાં સાધુને જોઇ નજીકના ગૃહસ્થ પાસેથી મળાત્કારે અશનાદિ પડાવી લઇને સાધુને પ્રતિલાલે તે ચારવિષયક. ' આ ત્રણે પ્રકારના આચ્છેદ્ય ' સાધુને ન કલ્પે, કારણ કે તેમાં અપ્રીતિ, કલહ, આત્મઘાત, અંતરાય અને પ્રદ્વેષ વિગેરે અનેક દાષાના સંભવ છે. ૧૫. ‘અનિષ્ટ’. નિષ્ટ એટલે દીધેલું, આપેલું. અનિસૃષ્ટ એટલે નહિ દીધેલું. અનેકની માલીકીની અશનાદિ વસ્તુ તે સર્વ માલેકાની અનુમતિ સિવાય સાધુને દેવામાં આવે ત્યારે આ દોષ થાય છે. એના ત્રણ પ્રકાર છે: સાધારણાનિષ્ટ, ચૌલકાનિષ્ટ, જડાનિ. ૧. ‘ સાધારણ’-અમુક વસ્તુ કે ક્ષેત્ર ઘણા જનાને ‘સાધારણ’ હાય તે. ઉર્જાણી વિગેરેનું ભાજન. ૨. ‘ ચૌલક’-ખેતર વિગેરેમાં કામ કરનાર સઘળાં મજુરોને માટે એક સામટું આપવામાં આવેલું ભાથું તે ‘ચૌલક’. ૩. ૮ જ’-જડ એટલે હાથી. હાથી માટેના ખારાક તેના માલીક રાજા અને હાથી અંને હોવાથી મહાવત આપે તેા પણ રાજા (માલીક) અને હાથીની આજ્ઞા વિનાને હાવાથી જડાનિષ્ટ કહેવાય છે. આવી ઘણાની માલીકીની અથવા તેમને માટે જૂદી કાઢેલી વસ્તુ હાય તે સર્વની રજા વગર જો તે વસ્તુ વપરાય, તેમાંના એકના કહેવાથી વસ્તુ વપરાય તે બીજા માલેકા અથવા હકદારાને દ્વેષ થવાના સંભવ રહે તેથી તે વસ્તુ ત્યાજ્ય ગણી છે. ‘સાધારણાનિષ્ટ ’. આખા ગામની સામાન્ય માલીકીવાળી વસ્તુ, જેમકે અમુક દુકાનમાં રહેલ તૈલ કે લાડુ, દધિ કે વસ્ત્ર વિગેરે. ' Jain Education International ચૌલકાનિસ’માં અમુક ક્ષેત્રની ઉત્પત્તિ કામ કરનારા અને માલિક વચ્ચે વહેંચવાની હાય છે તેના ભાગ પાડ્યા પહેલાં પછી સ્વામી અથવા કામ કરનારાઓમાંના એકાદની પણ અનુજ્ઞા વગર લેવાથી દ્વેષના સંભવ થાય અથવા પરસ્પર લડાઇ અંદર અંદર થાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy