SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮૦. ઉપમિતિ ભવપ્રપંચ કથા. સંગિક અથવા અનુમાનઃ પૂર્વવત, શેષત, સામાન્ય દણ. (નૈયાયિક પ્રમાણે) શા: આતશ્રુતિવચન. આખ તે રાગદ્વેષાદિ રહિત. આ પ્રમાણે સાંખ્યમતનો સંક્ષેપ કરો. બૌધ દર્શન બોધ દર્શનકારોએ નિવૃતિ નગરીના માર્ગની કેવી કલ્પના કરી છે તે ભાઈ પ્રક! હવે તને જણાવું છું. જોધ દર્શનમાં બાર આયતન કહેવાય છે તે આ પ્રમાણે પાંચ ઇંદ્રિ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, મન અને ધર્મા યતન. છેવું ધર્મ એટલે સુખદુઃખ વિગેરે તેનું આયતન એટલે ઘર તે શરીર જાણવું. બધે પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ માને છે. બો ચાર આર્ય સત્ય માને છે. યથાવસ્થિત વસ્તુસ્વરૂપને બરાબર વિચાર કરવાથી જે હિત લાગેલાં તે સત્ય કહેવાય છે અને સર્વ હેય ધર્મથી દૂર હોય તે આર્ય કહેવાય છે. એ ચાર આર્ય સો આ પ્રમાણે છેઃ દુઃખ, સમુદય, માર્ગ, નિરોધ, (૧) દુ:ખ: ફળ રૂપે જે પંચ ઉપાદાન સ્કંધ તે દુઃખ એટલે સંસારી સ્કંધ, એક સ્થાનકેથી બીજે સ્થાનકે સંસરણ થાય ૧ બધ. બુદ્ધ સાત છે: વિપશ્યી, શિખી, વિશ્વભૂ, કંકુછંદ, કાંચન, કાશ્યપ અને શાક્યસિંહ. તેમનું જે દર્શન તે બૌધ. ચામર, માથે મુંડન, મૃગચર્મ અને કર્મડતું એ તેનાં લિંગ. ગેરૂથી રંગેલું ઘુંટી સુધી આવે તેવું વસ્ત્ર તે વેશ. શૌચક્રિયા બહુ પ્રકારની છે, ભિક્ષા સમયે પાત્રમાં જે પડે તે બધું શુદ્ધ માનીને માંસને પણ માર છે, બ્રહ્મચર્યાદિ સ્વકીય ક્રિયામાં બહુ દઢ રહે છે. એ તેમને આચાર જાણો, ધર્મ બુદ્ધ અને સંઘ એ તેમની રાત્રયી કહેવાય છે. સુરતને ધર્મધાતુ કહે છે, તેનાં ભિક્ષુ, સૌગત, શાય શૌદ્ધોદસિ, સુગત, તથાગત, શૂન્યવાદી વિગેરે નામે છે. ૨ આ ચાર આર્ય સત્યની હકીકત સૌતાંત્રિક બૌદ્ધ મતાનુસાર છે કે આગળ જણાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy