SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩. વચનદ્વારા કથન ન કરી શકાય તેવું (અવ્યપદેશ્ય), વ્યભિચાર દોષથી રહિત વ્યવસાયાત્મક જ્ઞાન તે પ્રત્યક્ષ. (૨) અનુમાન, તે પૂર્વક ઉપન્ન થનાર જ્ઞાન. તેના ત્રણ પ્રકાર છેઃ પૂર્વવત, શેષત, સામાન્ય દુષ્ટ. પૂર્વવત-કારણથી કાર્યનું અનુમાન. જેમકે આકાશમાં કાળાં વાદળાં ચઢી આવવાથી વૃષ્ટિ થવાનું જે અનુમાન કરવું તે. શેરવતકાર્યથી કારણનું અનુમાન. જેમકે! નદીમાં મોટું પૂર આવ્યું છે તેમાં ફળો કા વિગેરે તણાઈ આવ્યાં છે તે પરથી નદીના ઉપરના ભાગ તરફ વૃષ્ટિ થઈ છે એવું અનુમાન કરવું તે. સામાન્યતો દષ્ટ - કાર્ય કારણ ભાવ વિના પણ અન્ય રીતે સામાન્યથી અવિનાભાવ (વ્યાપ્તિ) બળથી જે લિગ દેખવામાં આવે છે. જેમકેઃ દેવદત્તાદિકની દેશાંતરપ્રાપ્તિ ગતિપૂર્વક જાણીને તે જ પ્રમાણે સૂર્યની પણ દેશાંતરપ્રાપ્તિ ગતિપૂર્વક છે એવું જે અનુમાન કરવું તે.' (૩) ઉપમાન, પ્રસિદ્ધ વસ્તુ સાથેના સાધર્મને લીધે જે અપ્ર સિદ્ધ વસ્તુનું સાધન તે ઉપમાન કહેવાય. જેમકે જેવી ગાય દેખાય છે તેવાંજ ગવય હોય છે.' ૧ તે પૂર્વક એટલે પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણે વિશેષણે અત્ર યોજવા એટલે જે લિંગાદિથી, અપલબ્ધિરૂ૫, અવ્યભિચરિત, અભ્યપદેશ્ય, વ્યવસાયાત્મક તપૂર્વક જ્ઞાન થાય તે અનુમાન. ૨ પૂર્વવત એટલે પક્ષધર્મવ. 2 શેલત. અહીં સપસવ લાગુ થાય છે. ૪ અહીં લગી સાથે આવ્યભિચરિત સંબંધ છે; બલાકાથી જળના અનુમાન પેઠે. ટૂંકમાં કહીએ તે પૂર્વજ્ઞાન તુલ્ય જ્ઞાન જેનાથી થાય તે પૂર્વવત્ અનુમાન. ને પ્રસન્ન હોય તેનો પ્રતિધ કરવાથી અન્યત્ર પ્રસંગ હોવો અસંભવિત થાય એટલે જે શેષ રહે તેની પ્રતીતિ થાય તે શેષત. જ્યાં ધર્મ તથા સાધનધર્મ પ્રત્યક્ષ હોય અને સાધ્ય ધર્મ સવંદા અપ્રત્યક્ષ સંધાય તે સામાન્ય ૬૪, ૫ શેકે નોકરન ગવય લાવવાની આજ્ઞા કરી, નાકર સમજતા નથી કે ગવાય કેવું હોય. શેઠ સમજાવે છે કે “ગે તેવું ગવય.” પછી જંગલમાં ગવય જોતાં શેઠના વાકયાર્થના સ્મરણુ અને ઇઢિયાર્થ સન્નિકર્ષથી જે જ્ઞાન થાય-આ ગે જેવું છે, એવું જે સાધન્યું જ્ઞાન થાય છે તેને લઇને સંજ્ઞાસંગી સંબંધની જે પ્રતીતિ થાય છે તે ઉપમાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy