SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪પ પરિશિષ્ટ ૧. (ધાટિશબ્દનો અર્થ મને બરાબર બેઠે નથી. આ શબ્દનો ઉપયોગ એજ અર્થમાં નીચેની જગ્યાએ આવે છે. જ્ઞાતા. ૧ મૃ. ૧૫ અધ્યયન. દશવૈકાલિક. ૧ અધ્યયન. ગચ્છાચારપયન્ના ટીકા. ૨ અધિ. પ્રજ્ઞાપના ૨૦ મું પદ, આચારાંગ-પ અધ્ય. ૧. ઉ. સામપરા, વેદધામી, ધાર્મિકા, આજીવિક, આ એક શ્રમણને ભેદ છે. ગોશાલકના મતવાળાનું આ નામ છે. એ મતના સંબંધમાં કેટલાંક પુસ્તકો લખાયેલાં છે. એ મતને પ્રચાર ઈવી સન પૂર્વે ઘણે હતો એમ જણાય છે. શ્રીભગવતીસૂત્રમાં એની વ્યાખ્યા કરતાં કહે છે કે “જેઓ અવિવેકી લોક પાસેથી લબ્ધિ પૂજા ખ્યાતિ વિગેરે વડે તપ કરે અને તે પર આજીવિકા ચલાવે તે આજીવિકે. ઔપપાતિક સૂત્રમાં તેમની ચર્ચા બતાવતા કહે છે કે “એ ગોશાલકના મતને અનુસરનારા એક ઘરમાં ભિક્ષા લઈને બે ઘર છોડી દે છે અને ત્રીજે ઘરે ભીક્ષા લે છે અને તે ઘરોમાં નિરંતર કે એકાંતરે ભિક્ષા લેતા નથી, વળી કઈ અભિગ્રહવિશેષ લઈ ત્રણ ઘર છેડે, ચાર છોડે, એમ સાત ઘર છેડે; વળી કેઈ અને મુક વસ્તુ જ લે; કેઈ નિયમવિશેષે અમુક ગૃહસમુદાયમાં જ ભીક્ષા લેઃ વળી વીજળી પડે તો ભીક્ષા લેવા ન જાય–આવી અભિગ્રહાદિ દ્વારા તપસ્યા કરનારા “આજીવિકા મતવાળા' કહેવાય છે. વિઘતા. તે આજીવિકમતનો એક પ્રકાર લાગે છે. વિષ્ણચંતતરત્તિ નામનો એક પ્રકાર છે તેના વર્ણનમાં કહે છે કે વિશુતિ સંસ્થા अन्तरं भिक्षाग्रहणस्य येषामस्ति ते विद्युदन्तरिका विद्युत्संपाते भिक्षा नाटन्तीति માર્થિક ચુંચુણ, મહેંદ્ર ચારિક, અનુગદ્વારમાં એક “ચીરિક મત બતાવ્યું છે, તે કદાચ આ હેય. એનું સ્વરૂપ બતાવતાં કહે છે કે માર્ગમાં પડેલાં ફાટેલાં તૂટેલાં વસ્ત્રને પહેરવાવાળા અથવા વસ્ત્રનાં જ બનાવેલાં સર્વ ઉપકરણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy