SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] કથાઉપનય. ઉત્તર વિભાગ ૧૨૬૮ ગતા ન હતા, તેવી રીતે જીવન સ્વાભાવિક ગુણે તેને સુંદર અને હિત કરનાર લાગતા નથી. એ સારગુરૂના ઘેલા૫ણની એ પરાકાષ્ઠા હતી કે એ ઘરના પ્રેમી માણસને પીછાનત પણ નહિ અને ઘરની પુંજી કેટલી છે તે જાણુતે પણ નહિ એમ પ્રથમ કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે આ પ્રાણ પણ કર્મયોગમાં (સાંસારિક કાર્યપ્રસુલિકામાં) મસ્ત રહી ઘેલા જેવો દેખાય છે અને પોતાનું રૂપ અનેક ગુણરત્નોથી ભરેલું છે અને પોતામાં મેટી ઋદ્ધિ સમૃદ્ધિ રહેલી છે એ વાત પિતે જાણતા નથી. એ નગરમાં મોટા ચોર-ધૂતારાઓ વસે છે અને સારગુરૂને ધૃતવા આવે છે વિગેરે જે વાત કરી છે તે જ પ્રમાણે આ સંસારમાં રાગદ્વેષ વિગેરે દુષ્ટ ભાવે ચાર છે, ધૂતારા છે અને તે આ પ્રાણીને બરાબર છેતરે છે. વાત એવી બને છે કે પેલા ચોરોની પૈઠ તેઓ પણ આ જીવલોકન ખરેખરા દો તદારે હોય તે દેખાવ કરે છે, તેઓ આ પ્રાણુને તેવા ૬. જણાય છે, છતાં અંદરખાનેથી તેઓ જ આ પ્રાણીના કર્મ રૂપ ઉન્માદને ઘણે વધારી મૂકે છે, મહા તીવ્ર કરી મૂકે છે, જ ભારે આકરે કરી મુકે છે. એ રાગદ્વેષાદિ ધૂતારાઓ આ .: ૩ પાણીના સ્વરૂપ રૂપ શિવમંદિરને પિતાને વશ કરીને પછી એ - રેકરણના કુટુંબીઓ જેવા તેનામાં જે અનત ગુણે હેય છે * તે સર્વને અંદર કેદ કરીને તેના ચિત્તદ્વારનો રોધ કરી દે છે, * ' તના ઉપર તાળું લગાવી દે છે. રાજન્ ! આ જીવનું અસલ શ્વરૂપ ગુણોના સમૂહથી ભરપૂર અને શિવમંદિર સાથે બરાબર સરખામણું કરી શકાય તેવું છે તેને તેઓ હરણ કરી લે છે અને તેમ કરવામાં તેના ભાવકુટુંબ રૂપ ગુણેને પ્રથમ હઠાવી દે છે અને પછી દાબી દે છે, છુપાવી દે છે અને ત્યાર પછી રાજ્ય ઉપર મોટા ધૂતારા જેવા મહામહની સ્થાપના કરીને રાગ વિગેરે સર્વ દે મનમાં ઘણું જ મલકાય છે, પોતાની મસ્તીમાં વધારે કર્યા જાય છે અને આ જીવને વશ કરીને તેની પાસે અનેક પ્રકારનાં નાટક કરાવે છે, નાચ કરાવે છે અને તેને રમાડે છે. રાજન! ગીત તાલ અને અવાજને જે આ મોટે સ્વર આખે વખત સંભળાયા કરે છે અને માટે કેળાહળ સંસારમાં ઉઠી રહેલે જણાય છે તે સર્વ કરનાર રાગ વિગેરે ચારે છે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy