SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ચ પ્રકરણ ૧૦ મું. મિત્રમેળાપ–સૂરિસંકેતનિર્દેશ. - વિક મળકુમારે અત્યંત ભદ્રિકભાવે ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી, ખાજુમાં હું (વામદેવ) ઊભા હતા, પછવાડે રચૂડ અને ચૂતમંજરી મોટા પરિવાર સાથે શાંતિ જાળવી સ્તુતિ સાંભળતા હતા અને આખા મંદિરમાં ભવ્ય શાંતિ અને દિવ્ય ગાન પ્રસરી રહ્યાં હતાં. એવા અતિ આનંદપ્રસંગે સ્તુતિના અક્ષરો ભાવપૂર્વક, રસપૂર્વક, એકાગ્રતાપૂર્વક, પ્રેમપૂર્વક વિમળના મુખમાંથી નિકળતા જતા હતા. આખરે સ્તુતિ પૂર્ણ થઇ. સ્તુતિ પૂર્ણ થતાં મિત્રોના મેળાપ. રત્રચૂડે સ્તુતિની કરેલી ચાગ્ય સ્તુતિ, સુંદર માનસિક સભાવપૂર્વક પ્રાણીઓના નાથ ભગવાનની એ પ્રમાણે વિમળકુમારે સ્તુતિ કર્યાં પછી પંચાંગ પ્રણામ કર્યાં. તે વખતે એની વાણીથી અત્યંત પ્રસન્ન થયેલા અને ઉલ્લુસાયમાન થતા રામાંચથી સુશાભિત લાગતા રત્રચૂડ ખેચર પાતાના મનમાં ઘણા સંતેષ પામી ગયા અને “હું ધીર ! ભવ( સંસાર )ના ભેદ કરનાર ભગવાનનું અતિશય સુંદર અને ભાવદર્શક સ્તવન કર્યું ” એમ ખેલતા બાલતા પ્રગટ થયા અને વળી કહેવા લાગ્યા “ અહો! અંધુ! મહા ભાગ્યશાળી ! ત્રણ ભુવનના અંધુ ભગવાન ઉપર તારી આટલી બધી ભક્તિ છે તા ખરેખર તું ભાગ્યશાળી છે, કૃતકૃત્ય છે અને તારૂં આ દુનિયામાં જન્મવું સફળ છે. હે નરોત્તમ ! તું ખરેખર સંસારથી મુક્ત થઇ ગયા છે, કારણ કે પ્રાણીને એક વાર ચિંતામણિરત પ્રાપ્ત થઇ જાય પછી તેને કદિ દળદર પ્રાપ્ત થતું નથી અને તે દરિદ્રી થવાને યોગ્ય પણ રહેતા નથી. છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy