SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું. દૌર્જન્ય અને સૌજન્ય. s મદેવ પિતાની વાર્તા આગળ ચલાવતાં અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સંસારીજીવ તરીકે કહે છે કેઅહો અગૃહીતસંકેતા ! આવી ઘણું ઊંચા પ્રકારની વાતે વિમળકુમાર અને રચૂડ વચ્ચે થઈ, દેવી ચૂતમંજરીએ ઘણે ધર્મસેહ બતાવ્યું, અરસ્પરસ આભાર અને નિસ્પૃહતા દેખાડ્યાં, પણ મારું તો તેમાંની કઈ પણ બાબત ઉપર ધ્યાન રહ્યું નહિ. વિમળ અને રતચૂડે ધર્મસંબંધી આટઆટલી વાતો કરી, પણ ભારેકમપણને લઈને તથા મારામાં દૂરભવીપણું (ઘણો કાળ સંસારમાં ફરવાપણું) હોવાને લીધે જાણે હું તો દારૂ પીધેલ હઉ, ઉંઘી ગયેલ હોઉ, વિક્ષિપ્ત ભારેમીના ચિત્તવાળે ઉં, મૂછ પામી ગયેલે હોઉ, ગેરકેફને છાક. હાજર હોઉ, મરણ પામેલ હોઉ, તેમ મારાં હૃદયમાં ધર્મનું એક પણ વચન ઉતર્યું નહિ અને મારું ચિત્ત જાણે વજ જેવા સખ્ત પથ્થરના કટકાનું બનાવેલું હોય તેમ તેની ઉપર જિનવચનરૂપ અમૃતનું સીંચન કરવામાં આવ્યું તે પણ તે જરાએ પોચું પડ્યું નહિ, ભીનું થયું નહિ, નરમ પડ્યું નહિ અને કવન પામ્યું નહિ. ત્યાર પછી તે ભગવાનની વિશેષ સ્તુતિ કરીને હું અને વિમળકુમાર જિનમંદિરમાંથી બહાર નીકળ્યા. રત્રનો ભૂમિમાં નિપાત, મંદિરમાંથી બહાર નીકળ્યા પછી વિમળકુમારે મને કહ્યું “ભાઈ વામદેવ! આ રત જ્યારે રતચૂડે મને આપ્યું હતું ત્યારે તે બોલ્યા હતો કે એ ઘણું કિમતી છે અને તેમાં માટે પ્રભાવ રહેલ છે. તો કઈ મહાન લાભકારક પ્રસંગ આવી પડશે તે તેનો ઉપયોગ કરી શકાશે; બાકી મને તે એવા રવમાં કાંઈ ખાસ આસ્થા નથી અને તે તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy