SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્વપરિચય. રવચૂડ–“ અરે બંધુ! તું આવી રીતે બેલ નહિ. તારામાં એટલા બધા ગુણે છે અને તે તે ગુણેની બાબતમાં એટલે બધે આગળ છે કે તેને લઇને તું દેવતાઓને પણ પૂજ્ય છે અને તેથી તું જ ખરે ખરે અમારે ગુરૂ છે, નિઃસ્પૃહીપણું કેવું હોય અને નિસ્પૃહતાનું કેમ રખાય તેને પ્રત્યક્ષ (જીવતો) દાખલો આપીને જ્વલંતદષ્ટાંત. તે અમને વિશુદ્ધ માર્ગ દર્શાવ્યો છે તેથી તે આ પ્રમાણે બોલે તે કઈ પણ પ્રકારે ઉચિત નથી.” ઉત્થાનની ભાવના, વિરક્તિના પરિણામે, કુટુંબચિંતા અને ફરજ વિમળકમાર–“મહાગુણાધિક કૃતજ્ઞ મહાત્મા પુરૂષનું આ “એક સ્પષ્ટ ચિત્ર છે કે તેઓ અત્યંત ભક્તિપૂર્વક ગુરૂભક્તિ અને વિ. “પિતાના ગુરૂ (ધર્મદર્શક) નું પૂજન કરે છે, તેની મળની વિરતિ “સેવાચાકરી કરે છે અને તેને બહુમાન આપે છે. જે પ્રાણી પોતાના ગુરૂનો દાસ થાય છે, તેનો “સંદેશ લાવનાર લઈ જનાર નેકર થાય છે, ગુરૂનું નાનું મોટું કામ હોંસથી ચાકરની પેઠે કરે છે અને ગુરૂ મહારાજની ગુલામગીરી કરતાં જેના મનમાં સહજ પણ શરમ આવતી નથી તે જ પ્રાણી ખરે મહાત્મા છે, ખરે પુણ્યાત્મા છે, ખરે ભાગ્યશાળી છે, ખરે કુળવાન છે, ખરે ધીરવીર છે, જગતને વંદનાગ્ય છે, સાચે તપસ્વી છે અને ખરો સમજી તેમજ ભણેલ છે. જે શરીર વિનયથી ગુરૂના કામમાં તત્પર રહે છે તે જ ખરું શરીર છે “તેજ સાચી કાયા છે. જે વાણી ગુરૂની સ્તુતિ કરે છે, ગુરૂના ગુણનું ગાન કરે છે તે જ સાચી વાણી છે, સાચી જીહા છે; અને જે મન ગુરૂ મહારાજમાં આસક્ત હોય છે, ગુરૂ સંબંધી વિચાર પ્રેમપૂર્વક કરે છે તે જ ખરૂં મન છે, ખરું ચિત્ત છે. જે પ્રાણીઓ આપણું “ઉપર ધર્મદાનનો ઉપકાર કર્યો હોય તેના ઉપકારનો બદલે કરોડે ભવમાં તેની સેવાચાકરી અને અનેક ઉપકાર કરવાથી પણ વળી શકતો નથી. હવે ભાઈ! મારે તારી સાથે એક બાબતનો ખાસ વિચાર કરવાનો છે. આ સંસારરૂપ બંદિખાનાથી મારું મન તદ્દન ઉઠી ગયું છે, વિષયો મને તદ્દન દુઃખથી ભરપૂર લાગે છે, પ્રથમ ભાવ (શાંતિ) જાણે અપૂર્વ-અસાધારણ—લેકત્તર અમૃતના આસ્વાકને અનુભવ કરાવી રહ્યો છે, તે મારે હવે ગૃહસ્થાવાસરૂપ બંદિખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy