SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણુ. ૧૧૬૧ “ ભાવા જણાવ્યા છે તે ભાવમાં (અંતરંગ વર્તનમાં) જે કાંઇ ચીકાશ હોય “ છે તેને તે દૂર કરી દે છે અને એને વારંવાર ફરી ફરીને સેવવાથી “ તે અંતર આત્માને લુખા પાડી દે છે. આવી રીતે આત્મા લુખા “ પડી જાય છે એટલે તેમાંથી એકઠા થયેલ મેલ નીકળી જાય છે “ અને એક વખત મેલ નીકળી ગયા એટલે લેશ્યા (આત્મપરિણતિ) ወ શુદ્ધ થાય છે અને તેને અહીં “સત્ત્વ” કહેવામાં આવ્યું છે. સત્ત્વ “ જ્યારે શુદ્ધ હેાય છે ત્યારે સુંદર લક્ષણા મહારથી પોતાના ગુણા રાષ્ટ્રર બતાવે છે, અને અપલક્ષણના દોષો એટલા બધા માધ ፡ કરતા નથી. આટલા ઉપરથી ભાઇ વામદેવ ! જે ભાવાથી એ સમસ્ત ። ગુણના આધારભૂત ઉત્તમ સત્ત્વ વધી શકે છે તેવા ભાવેા વિદ્યમાન * ። “ છે, હયાત છે, એ હવે તારા સમજવામાં આવ્યું હશે, ” અહે। અગૃહીતસંકેતા! સત્ત્વ સંબંધી આટલી બધી વાત મારા મિત્ર વિમળે કરી તે મારા સમજવામાં જરા પણ આવી નહિ, છતાં મારી મ્હેન ( માયા) પાસે હોવાથી તેના દોષથી મેં તેા હા પાડી, માથું ધૂણાવ્યું અને કુમારને કહ્યું “ કુમાર ! તેં બહુ સારી વાત કરી, મારા મનમાં જે શંકા પડી હતી તે ખરાખર દૂર થઇ ગઇ. હવે તું સ્ત્રીનાં લક્ષણ કહેતા હતા તે આગળ ચલાવ. વળી આ સ્રીપુરૂષનું જોડલું જેને જોઈને તમે આટલા બધા વિસ્મય થયેા છે તે તેનાં લક્ષ પરથી તને કેવું લાગે છે તે પણ જણાવી દે.” સ્રી લક્ષણ વિમળે આગળ જવાબ આપતાં જણાવ્યું આ જોડલાં પૈકી નરમાં જે લક્ષણ છે તેથી તે ચક્રવર્તી થાય અને તેની સાથેની સ્ત્રીમાં જે લક્ષણા દેખાય છે તે પરથી તે ચક્રવર્તીની સ્ત્રી થાય તેવું છે એમ જાય છે. આવાં સુંદર લક્ષણાથી યુક્ત જોડલાંને જોઇને મને વિસ્મય થયા હતા. હવે સ્ત્રીનાં લક્ષણા તને જણાવું છું તે ધ્યાનમાં રાખજેઃ— ‘આખા શરીરના અરધો ભાગ મુખ છે અથવા બીજી રીતે કહીએ તે બધા આધાર મુખ ઉપરજ હાવાથી તેજ આખું શરીર છે, મુખથી પણ નાસિકા ( નાક) વધારે અગત્યની છે અને નાક કરતાં પણ આંખા વધારે ઉપયોગી અને લક્ષણસૂચક છે. ૧ ચીકાશ સાથે મેલ લાગે છે, લુખી વસ્તુને મેલ લાગતા નથી. ૨ વામદેવ આ સર્વે વાર્તા સંસારીજીવ તરીકે સદાગમ પાસે કહે છે અને અગૃહીતસંકેતા વિગેરે સાંભળે છે, લક્ષણા તે ખરાખર સમજે છે, પણ સત્ત્વ અને તેને વધારવાના ઉપાયની વાત આવી એટલે સંસારરસીઆને તે કાંઈ સમજાતું નથી, છતાં માયાના જોરથી પાતે જાણે સમછ ગયા છે એમ બતાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy