SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૯ ] નરવાહન દીક્ષા-રિપુદારૂણને રાજ્ય. ૧૧૧૭ ગદ્ગદ વાણી વડે વિચક્ષણસૂરિને સવાલ કર્યાં “મહારાજ ! આપ તે જ્ઞાનચક્ષુવાળા છે, આપ સર્વ હકીકત જાણી શકે છે. તે આપના તો ધ્યાનમાં હોવું જ જોઇએ કે રિપુદારૂણ આવા કુળમાં જન્મ્યા, તેને આવી સુંદર સામગ્રી મળી, છતાં તેનું આવું મારું ચરિત્ર કેમ થયું ? મહારાજ! આવી સામગ્રીવાળા ઉત્તમ ફળમાં તેને જન્મ હેાવા છતાં તેનું ચરિત્ર ખરાબ કેમ થયું? આપ મને તે જણાવેા. આપની જ્ઞાનદૃષ્ટીમા એ બાબતના બરાબર ખુલાસા હાવા જોઇએ.” “ રાજન્ નરવાહન !” આચાર્યે ઉત્તરમાં જણાવ્યું, “ એ ખામતમાં આ આપડા રિપુદારણના કાંઇ દોષ નથી. એનું ખરામ ચરિત્ર થયું તેનું કારણ તેના શૈલરાજ અને મૃષાવાદ નામના બે મિત્રો છે. એ બન્નેને લઇને જ તેની એ સ્થિતિ થઇ છે. “મહારાજ વિચક્ષણુજી !” મારા પિતાએ પૂછ્યું “ એ મૃષાવા અને શૈલરાજ તેા કુમારને મેટા અનર્થ કરનારા છે, પાપી મિત્રો છે; પશુ કુમારને એ બન્નેથી હવે વિયેાગ ક્યારે થશે ? એની સેામતથી કુમાર કેવી રીતે છૂટી શકશે? તે આપ જણાવા’ રૌલરાજ-મૃષાવાદમુક્તિઉપાય. મૃદુતા-સત્યતા કન્યારોાધ, પ્રયાજનાચંતકનું અનેરાપણું, વાત એમ છે” આચાર્યે ઉત્તર આપતાં જરા સ્મિત કરીને જણાવ્યું, “હું એ શૈલરાજ અને મૃષાવાદ જો કે ઘણા પાપી અને અનર્થ કરનાર છે, છતાં તેના ઉપર રિપુદારણની ઘણી પ્રીતિ છે તેથી તેના સંબંધ એકદમ છૂટે તેમ નથી, પરંતુ ઘણા કાળ વીત્યા પછી જયારે કારણ મળશે ત્યારે બન્નેના વિયાગ થઇ જશે. એ બંનેના વિયાગ કરનાર શું કારણ છે તે હાલ હું તને જણાવું છું. “ એક શુભ્રમાનસ નામનું નગર છે, ત્યાં શુદ્ધાભિસન્ધિ નામના રાજા છે, એ ઘણા પ્રસિદ્ધ અને કીર્તિવાળા છે. તેને બે રાણીઓ છે: એકનું નામ વરતા છે; બીજીનું નામ વર્યતા છે. એ પ્રત્યેક રાણીથી રાજાને એક એક દીકરી થયેલી છે. એકનું નામ મૃદુતા ૧ શુભ્રમાનસ નગર એ શુભ મન છે. શુદ્ધ ખાખતસાથે સંયાગ કરાવનાર શુદ્ધાભિસંધિ રાજા છે. વરતા અને વર્યતા એટલે સારાપણું છે. મૃદુતા એટલે નમ્રતા. અભમાનત્યાગ છે. સત્યતા પ્રસિદ્ધ છે. એ બન્નેને સંયેાગ થતા શૈશરાજ(અભિમાન ) અને મૃષાવાદ ( અસત્ય ભાષણ ) ચાલ્યા જાય એ ભાખર યેાગ્ય છે. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy