SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ : કે જ્ઞાન, વય, બુદ્ધિ અને ગુણમાં તમારાથી જે વધારે હોય તે સર્વને તેમના સ્થાનને યોગ્ય માન આપ, તેઓ તરફ પૂજ્ય બુદ્ધિ રાખે અને તેઓ તરફ નરમાશ બતાવો. આ “વિનય નામને અંતરંગ રક્ષક ચાર પ્રકારનો છે. ત્યાર પછી આચાર્યે મહારાજ ઉપાધ્યાય ૩ અપરાધની વિચારણા કરવી અને ક્ષમા પણ માગવી (મિચ્છામિકડ દેવો ) તે મિશ્ર પ્રાયશ્ચિત્ત. ૪ અશુદ્ધ પાણું ભેજન આદિને ત્યાગ કરવો તે “વિવેક પ્રાયશ્ચિત્ત.” ૫ શરીર પર પોતાના અંકુશ વગર સાવદ્ય સ્વમો આવી જાય તેથી તેમજ ગમનાગમનાદિ ક્રિયા તથા સ્પંડિલ માત્ર પરઠવ્યા પછી થતા દેને દૂર કરવા કાર્યોત્સર્ગ કરવો તે “કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. ૬ છવ સંઘટ્ટથી લાગતા દે દૂર કરવા તપશ્ચર્યા કરવી તે છઠું “તપઃપ્રાયશ્ચિત્ત. ૭ દીક્ષા પર્યાયને હાનિ કરે તેવો દેષ થતાં તેનું નિવારણ કરવા અમુક દીક્ષા પર્યાય છેદ કરવો પડે તે છેદ પ્રાયશ્ચિત્ત.” ૮ મૂળ ગુણને હાનિ પહોંચતાં સર્વથા નવીન દીક્ષા લેવી પડે તે મૂલ પ્રાયશ્ચિત્ત.” ૯ અતિ કિલષ્ટ પરિણામથી વધ થઈ ગયા હોય તો તેના દેષનિવારણ માટે મહા તપ કરી ફરી દીક્ષા લેવી તે ‘અનવસ્થાપ્ય પાયશ્ચિત્ત.” ૧૦ સાધવી, રાણુ કે એવા કોઈ સાથે સંભોગ થતાં બાર વર્ષ તપ કરી તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈ ગચ્છમાં આવવાની શિક્ષા તે પા રાંચિત પ્રાયશ્ચિત્ત.” ૧ વિનય અહીં મૂળમાં વિનયના ચાર પ્રકાર કહ્યા છે તે તીર્થંકરાદિ તેર સ્થાનકે ૧ અનાશાતના, ૨ ભક્તિ, ૩ બહુમાન અને ૪ તેમના ગુણની પ્રશંસા એમ ચાર પ્રકારે જાણ, તીર્થંકરાદિ તેર સ્થાનક આ પ્રમાણે - ૧ તીર્થંકર, ૨ સિદ્ધ, ૩ કુલ, ૪ ગણ, ૫ સંઘ, ૬ ક્રિયા, ૭ ધર્મ, ૮ જ્ઞાન, ૯ જ્ઞાની, ૧૦ આચાર્ય, ૧૧ સ્થવિર, ૧૨ ઉપાધ્યાય, ૧૩ ગણી. અથવા વિનયના ચાર પ્રકારમાં જ્ઞાન, દર્શન ચારિત્ર અને ઉપચારને સમાવેશ થાય છે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે માનવું, ચારિત્ર એટલે સમિતિ ગુપ્તિ પાળવાં અને ઉપચાર એટલે આચાર્ય પાસે રહેવું. અન્યત્ર (નવ તત્વ ટકામાં) વિનયના સાત પ્રકાર બતાવ્યા છે તે બહુ સમજવા યોગ્ય છે. ૧ જ્ઞાનવિનયના પાંચ પ્રકાર છે. (ક) મતિ આદિ જ્ઞાનની અને જ્ઞાનીની બાહ્ય સેવા તે ભક્તિવિનય, (ખ) જ્ઞાન અને જ્ઞાનીનું અંતરંગથી બહુમાન કરવું તે બહુમાન વિનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy