SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧ ] ષપુરના નિર્વતિમાર્ગો. ૧૦૩૩ માટે નોદિનાથી ધર્મ જણાય છે, પરંતુ બીજા કોઈ પ્રમાણથી નહિ. કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણે તે વિદ્યમાનને જ ગ્રહણ કરનારાં છે પરંતુ ધર્મ કર્તવ્યતા રૂપ છે અને કર્તવ્યતા તે ત્રિકાળ શૂન્યાર્થ રૂપ છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અપત્તિ, શબ્દ અને અભાવ એ છ પ્રમાણે મીમાંસકો માને છે. આ પ્રમાણે મીમાંસક દર્શન સંબંધી ટુંક સાર કહો. જૈન, ભાઈ પ્રક! આ વિવેક મહાપર્વત ઉપર આરૂઢ થયેલા અને તે પર્વતના અપ્રમત્તત્ત્વ શિખર પર રહેલા જેન લેકેએ નિવૃતિનગરીએ જવાને માર્ગ આ પ્રમાણે દીઠે છે – જીવ, અજીવ, આવ, બન્ધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તો છે. તેની હકીક્ત આ પ્રમાણે છે: તેમાં સુખદુઃખન્નાનાદિ પરિણામને પામનાર તે જીવ જાણુ. તેનાથી વિપરીત લક્ષણવાન (એટલે સુખદુઃખન્નાનાદિ પરિણામને પામે નહિ) તે અજીવ જાણુ. મિથ્યાદર્શન અવિરતિ કષાય અને યોગ એ (કર્મ)બંધના હેતુ છે; તેજ આસવ છે. આસવનું કાર્ય તે બંધ છે. આસવથી વિપરીત તે સંવર, સંવરનું ફળ નિર્જરા. નિર્જરાનું ફળ મેક્ષ. એ સાત પદાર્થો છે. તેમાં વિધિ અને નિષેધ બતાવ્યા છે, અનુષ્ઠાને જણવ્યાં છે અને પદાર્થદર્શનનો પરસ્પર વિરોધ નથી. આ જૈન દર્શનમાં સ્વર્ગની ઈચ્છા હોય તેમણે તપધ્યાન વિગેરે આચરવાં જોઈએ (આ વિધિમાર્ગ સમજવો). સર્વ જીવોને હણવા ન જોઈએ ” એવું વચન છે (એ પ્રતિષેધ સમજ). હમેશા (સાધુએ) સર્વ ક્રિયાઓમાં સમિતિ અને ગુપ્તિ પાળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy