SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ? પ્રકર્ષ–“ત્યારે મામા ! એમ ધારો કે એ રાક્ષસીઓ કે પ્રાણી | ઉપર આવી પડેલી હોય અથવા નજીકના સંબંધી નિવારણના ઉ. ઉપર આવી પડેલી હોય અથવા તો આવી પડવાની પાયો કરવો કે ? તૈયારીમાં હોય તો તે વખતે એનાથી બચવા માટે કાંઈ પણ ઉપાય કઈ પ્રાણીએ કરવો જ નહિ ? ત્યારે શું જરા કે રૂજા કે મૃત્તિ વિગેરે નજીક આવતાં જણાય તે વખતે વૈદ્યને બોલાવવો નહિ, ઓસડ ખાવાં નહિ, કાંઈ મંત્ર જંત્ર કરવાં નહિ, રસાયણ ખાવું નહિ અથવા સામ દામ દંડ ભેદરૂપ ચાર પ્રકારની ની તિનો આશ્રય કરીને દુર્ભાગતા દરિદ્રતા આદિને અટકાવવા નહિ? શું એવો પ્રસંગ આવે ત્યારે હાથ જોડીને કે પગ લાંબા કરીને બેસી જ રહેવું? અમુક વસ્તુ કે કાયે તજવા યોગ્ય છે કે કરવા યોગ્ય છે એમ જાણી શકાય તે પણ પ્રાણી તદ્દન કાંઇ ન જ કરી શકે એવો વીર્યહીન નપુંસક જેવો છે? શું તે બાયેલ છેનકામે છે? પોતાને ગ્ય લાગે તે તજવામાં કે ગ્રહણ કરવામાં તે તદ્દન શક્તિ વગરનો જ છે? એમ જે હોય તો તે ઉઘાડી રીતે તે ગેરવાજબી અને નહિ બનતું હોય તેવું લાગે છે, કારણ કે પિતાને હિત થાય તેવી બાબત ગ્રહણ કરવામાં અને પિતાને અહિત થાય તેવી બાબતો દૂર કરવામાં માણસોને આપણે પ્રવર્તતાં તે વારંવાર જોઈએ છીએ, એટલું જ નહિ પણ એવી રીતે પ્રવૃત્તિ કર્યા પછી તેઓ પોતાનું હિત થાય તેવી બાબત પ્રાપ્ત કરે છે અને પિતાને નુકસાન થાય તેવી બાબતે દર પણ કરી શકે છે; ઉપાય કરવાથી ધારેલ પરિણામ નીપજાવતાં પ્રાણી એ પણ દેખાય છે.” વ્યવહાર નિશ્ચય. અવશ્ય ભાવભાવ, પરિપાટી વ્યવસ્થા, વિમર્શ–“ભાઈ ! જરા ઠંડે પડ! બહુ ઉતાવળ ન થઈ જા ! મારા વચનમાં રહેલ ઊંડા અર્થપર તું બરાબર વિચાર કર ! મેં તને શરૂઆતમાં જ કહ્યું છે નિશ્ચયથી જોઈએ તો પ્રયત-પુરૂષાર્થ ન જ કરવો જોઈએ, એ વાત તે નિશ્ચયથી થઈ; બાકી વ્યવહારથી જોઈએ તો તો એવા પ્રકારની પ્રવૃત્તિ કરવાની બાબતમાં કેણ અટકાયત કરે છે? પ્રાણીએ પિતાનાં અપરાધ (પાપ) રૂપ મળને સારાં અને નુષ્ઠાન (વર્તન-ષિા) રૂપ નિર્મળ પાણી વડે વારંવાર ધોવાં એ તદ્દન યોગ્ય છે અને તે માટે તે કાંઈ કાંઈ પ્રવૃત્તિ કર્યા જ કરે છે. એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy