SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ !• ઉપમિતિ ભવપ્રપંચા કથા, છે તે આ ઘરમાં પ્રવેશ કરશે તેની સાથે આ વિષાદ પશુ ઘરમાં દાખલ થવાનાં ઇરાદા રાખે છે.” રંગમાં પડેલા ભંગ, પુત્ર મરણ સમાચાર. હર્ષવિષાદપર પોલાચના, મામા ભાણેજ વિવેક પર્વત ઉપર દૂર ઊભા ઊભા આ પ્રમાણે વાતા કરતા હતા ત્યાં તે પેલા મુસાફર વાસવશેઠના ઘરમાં દાખલ થયા અને શેઠને ખાનગીમાં લઇ જઇને તેની પાસે તેણે પાતાના મનની ખાનગી વાત કહી સંભળાવી. મુસાફરે જેવી શેઠને વાત કરવા માંડી. તેજ વખતે તેના શરીરમાં પેલા વિષાદ દાખલ થઇ ગૉ. શેઠે પેલા મુસાફરની વાત સાંભળી એટલે તુરતજ તેને મૂર્છા આવી ગઇ અને પાતે (શેઢ) જમીનપર પડી ગયા. તે વખતે સર્વ લેાકેા અને કુટુંબીએ જે આનંદમાં લહેર કરતા હતા તે એક દમ ભયથી ગભરાઈ જઈને ત્યાં દોડી આવ્યા અને શું છે શું છે? એમ સુખેથી હાહારવ કરતાં મોટેથી પૂછવા લાગ્યા. શેઠને ત્યાર પછી પવન નાંખવામાં આવ્યા, બીજા ઠંડા પ્રયાગ કર વામાં આવ્યા એટલે એનામાં ફરીવાર ચેતના આવી. મૂર્છા વળી ગઇ એટલે તેમણે માટેથી પ્રલાપ કરવા માંડ્યો, રડવા માંડ્યું: “અરેરે દીકરા! મારા બાપ ! અરે મારા અતિ સુકુમાર ફુલડા ! અરેરે ભાઇ! મારાં કર્મે તારી આવી અવસ્થા ક્યાંથી થઇ! અરેરે છેકરા ! મેં તને ઘણાએ વાર્યો તેા પણ મારા પાપને લીધે તું ઘેરથી નીકળી ગયા અને દયાવગરના દૈવે તારી આવી સ્થિતિ કરી ! અરેરે હું મરી ગયા ! મારી સર્વ આશાએ ભાંગી ગઇ ! અરેરે હું લુંટાઇ ગયા ! મારી સર્વ કળા અસ્ત થઇ ગઇ ! અરે ભાઇ! તારા આવા હાલ થયા છતાં મારું જીવતર હવે શું તેમને રહેતું હશે ! હું પણ કેમ મરી ન ગયા ?”’ શેઠના કકળાટ. * આવી રીતે શેઠ માટેથી વિલાપ કરવા લાગ્યા એટલે પેલે ભયંકર પુરૂષ વિષાદ સર્વે સગાસંબંધીઓનાં શરીધરમાં રડારાળ. રમાં દાખલ થઇ ગયા. એ વખતે વાસવશેના સગાસંબંધીઓ પણ વિષાદની શક્તિથી હાહારવ કરવા લાગ્યા, મોટેથી રડવા લાગ્યા, પાક મૂકવા લાગ્યા અને સર્વેએ મોટા ઉદ્વેગ કરી મૂક્યો. આવી રીતે એક ક્ષણવારમાં તે એ ઘર ૧ રડતી વખત દીકરાને માટે આવું સંબેાધન પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy