SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ “ થાય છે. વળી અન્ય પ્રાણીઓને કોઇ પણ પ્ર“ કારને ત્રાસ કે હેરાનગતિ ન કરવાથી, અન્ય “ ઉપર અને તેટલી કૃપા કરવાથી અને પેાતાનાં “ મનનું દમન કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય એકઠું “ થાય છે. પૂર્વના ભવમાં જે પ્રાણીએ એવું પુણ્ય ઉપાર્જન કરેલું “ હાય છે અથવા આ ભવમાં જે એવું પુણ્ય એકઠું કરે છે તેની “ પાસે જે ધન આવે છે તે મેરૂ પર્વતના શિખરની પેઠે સ્થિર રહે “ છે. એવા મહાત્મા પ્રાણીઓ પેાતાના પુણ્યાનુબંધી પુણ્યના પરિણામે “ જે ધન પ્રાપ્ત કરે છે તેને તે તદ્દન બાહ્ય, સ્વથી પર, તદ્દન (6 તુચ્છ, વિષ્ટાસમાન અને ક્ષણવારમાં નાશી જનાર અસ્થિર સમજીને “ તેના સારે માર્ગે વ્યય કરે છે અને પેતે તેના સારી રીતે ઉપભાગ “ કરે છે; પરંતુ એવા બુદ્ધિશાળી લોકો ધન ઉપર જરા પણ મૂર્છા “ કરતા નથી, એના ઢગલા જોઇને રાજી રાજી થઇ જતા નથી અને “ એને એકઠું કરવામાં ગાંડાઘેલા થઇ જતા નથી. આવા પુણ્યશાળી “ માણસા જેમના જન્મ પણ પવિત્ર ગણાય છે તેવા વિશુદ્ધ બુદ્ધિ“ વાળા પ્રાણીઓના સંબંધમાં ધન સારૂં પરિણામ પણ લાવી આપે “ છે. ખાકી જે સાધારણ માણસે એવા બાહ્ય, નિંદા કરવા યોગ્ય “ અને મહા અનર્થનાં કારણભૂત ધનઉપર મૂર્છા કરી રહેલા હોય છે, “ તેને પકડીને બેસી રહેલા હેાય છે, જે તેનું કોઇ પણુ પ્રકારનું “દાન પણ કરી શકતા નથી અને જાતે ઉપભાગ પણ કરી શકતા “ નથી તે આ ભવમાં મોટા ચિત્તસંતાપ પામે છે અને પર“ ભવમાં મોટી અનર્થપરંપરા પ્રાપ્ત કરે છે તેમાં ભાઇ! શું નવાઇ “ જેવું છે? આ સર્વ હકીકતના સાર એ છે કે રહસ્ય સમજનાર ડાહ્યા “ માણસાએ પાતાની પાસે પૈસા હાય ત્યારે તેના ઉપર મૂર્છા ન “ કરવી અને તેનું અભિમાન ન કરવું તેમજ અને તેટલી તેની સખા“ વત કરવી અને જાતે ઉપભાગ કરવા. જે પ્રાણી એવી રીતે દાન“ ભાગ કરતા નથી તે આપો નકામી મજુરી કરનારો વગર પૈ“ સાનેા નાકર થાય છે અને છેવટે પસ્તાવા પામે છે. વળી જે કાંઇ ፡ પણ હકીકત સમજતા હાય તેણે પૈસાને અંગે ચારી અને લુચ્ચા “ ઇની ગંધ પણ પેાતામાં દાખલ ન થાય તે માટે ખાસ ધ્યાન “ રાખવું અને જો ધનને ચારી દ્વારા કે અપ્રામાણિકપણે મેળવવાની “ ઇચ્છા થઇ તે। સમજવું કે પરિણામે પેલા વાણીઆ શેઠની પેઠે “ મારું કષ્ટ ઊભું થવાનું છે.” ૯૬૦ પુણ્યાનુબંધી પુણ્ય પાપાનુબંધી પુણ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy