SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. પ્રસ્તાવ છે તેના બાહ્ય ભાગને એ જ રાજા છે એમાં જરા બન્ને રાજાઓની પણ સંશય જેવું નથી. તે અહીં જે રાજાઓ જોયા એ ક રૂ૫ તા. હતા તે સર્વને સ્વામી મહરાય છે, પણ તે તેનું સ્વામીપણું કર્મપરિણામ મહારાજના હુકમને લઈને છે અને કર્મ પરિણામ હુકમ કરે ત્યાં સુધી ચાલે તેવું છે. જેમ હાથ નીચેના ખંડીઆ રાજા ખંડણું આપે તેમ આ મહામહ રાજા પોતાની શક્તિથી જે કાંઈ ધન ઉપાર્જન કરે છે તે સર્વ મસ્તક નમાવીને કમપરિણામને અર્પણ કરી દે છે અને એવી રીતે મેહરાજાએ જે ધન ઉપાર્જન કરેલું હોય તેની સારી ખરાબ વસ્તુઓમાં યોગ્ય વહેંચણી કર્મપરિણામ રાજા કરે છે. આ મેહરાજા હમેશાં જીત મેળવવાને તત્પર અને લડાઈ કરવાને ઘણે જ આતુર રહે છે, તેના વિષયભૂત પ્રાણુ ઉપર તે એકદમ હુમલે લાવે છે; જ્યારે કમૅપરિણમ મહારાજા તે ભાગ ભગવવામાં આનંદ માને છે, નાટક જોવામાં ભેજ લે છે અને લડાઈની વાત કદિ જાણતા પણ નથી. આ પ્રમાણે હેવાથી કર્મપરિણુમ મહારાજા મેહરાયને આજ્ઞા કરે છે અને મોહરાજાના મનમાં તેને માટે ઘણી ભક્તિ છે તેથી આજ્ઞાને અનુસરવા સર્વ પ્રયતો તે જરૂર કરે છે અને કર્મપરિણામ મેહરાયથી જરા પણ જૂદાઈ માનતા નથી, જાણે તે અને પોતે એકરૂપ જ હોય એમ માની લે છે. વળી ભાઈ પ્રક! તે જે પ્રથમ રાજસચિત્ત અને તામસચિત્ત નામના બે શહેરે જોયાં હતાં તે બન્ને આ મેહરાજાને એ મેટા કર્મપરિણુંમ રાજાએ જાગીરમાં આપ્યાં છે. આથી આ મેહરાયનું કેટલુંક વફાદાર લશ્કર તે બન્ને નગરમાં રહે છે અને બાકીનું સઘળું ચિ રવૃત્તિ અટવીમાં રહે છે અને વિગ્રહ કરવાને-લડાઈ લડવાને નિરંતર તૈયાર રહે છે.” પ્રકર્ષ–“મામા ! ત્યારે તમને એક બીજો સવાલ પણ સાથે જ પૂછી લઉં! કર્મપરિણામ અને મહરાજાનાં રાજ્ય છે તે તેઓના વડિલે ૧ મેહરાય પ્રાણી પાસે કર્મ બંધાવે છે, પણ તેની વહેચણ સર્વ પ્રકૃતિ એમાં થાય છે, તેમાં સંક્રમણાદિ પણ થાય છે તે સર્વ સામાન્ય કમપર આધા રાખે છે. કર્મ જાતિ છે અને મોહનીય કર્મ તેને એક ભેદ છે. સર્વ કર્મનો વ વટ અમુક નિયમને અનુસરીને થાય છે. આ વસ્તુ સમજવા માટે પંચ કર્મપ્રકૃતિ, કર્મગ્રંથઆદિ ગ્રંથોના અભ્યાસની જરૂર છે. ૨ જુઓ પૃ. ૭૯૦, ૩ જુઓ ૫. ૭૯૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy