SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧] વેલવલ કથા-અટવી આદિની યોજના. ૮૨૭ પિતાના રાજ્યપ્રતાપના પૂર દમામમાં એ ચિત્તવૃત્તિ અટવીમાં રહે છે અને વિકાસ પામ્યા કરે છે ત્યાં સુધી એ મહાનદી વિગેરે વસ્તુઓ પણ ફાલ્યા કુલ્યા કરે છે, વધારે વિકાસ પામે છે, હેય તેનાથી વધારે વધે છે અને આ પ્રાણી એ સર્વ બાબતને ઘણું અગત્યની ગણે છે. એવી સ્થિતિમાં એ પિતાની જાતને એટલે મેટો શત્રુ થઈ પડે છે કે પોતે કેવી ભૂલ કરે છે અને કેવી રીતે ખોટે રસ્તે દોરવાય છે તે વાત પણ તે જરાએ સમજાતું નથી. હવે આવી વિષમ અવસ્થામાં પ્રાણી પિતાની શક્તિથી જે કાર્યો અને વર્તને જુદાં જુદાં પ્રકારના કરે છે તેને સ્પષ્ટપણે સમજાવવા સારૂં તને વેલ્લહલની કથા કહી સંભલાવવામાં આવી છે. તેને અને આ મહા અટવી નદી વિગેરેને ગાઢ સંબંધ છે. હવે એ વાતને નદી વિગેરે બાબતોનો ભેદ સમજવા માટે કેવી રીતે જુદી પાડવી તેની તને બરાબર યોજના કરી બતાવું છું તે તું સાંભળ. એ લહલ કુમારને જેમ અનેક પ્રકારને આહાર કરવાની ઈચ્છા થયા કરતી હતી તે પ્રમાણે વિષયલંપટ આ કુમારને અજીર્ણ. જીવના સંબંધમાં પણ એમ જ સમજવું, મતલબ આહાર કરવાની પ્રબળ ઈચ્છા જેમ તે કુમારને થતી હતી તેમ વિષય ભેગવવાની પ્રબળ ઈચછા આ જીવને વારંવાર થયા કરે છે. ઘણું ભેજન વારંવાર કર્યા કરવાથી જેમ તે વેલ્લહલ કુમારને સખ્ત અજીર્ણ થઈ આવ્યું હતું તેમ આ જીવને પણ વારંવાર કર્મનું સM અજીર્ણ થઈ આવે છે. પાપ અને અજ્ઞાનમય તે કર્મ ઘણું ભયંકરે છે જેમાંથી પ્રમત્તતા (પ્રમાદપણું) ઉત્પન્ન થાય છે અને તેને ઉત્પન્ન કરનાર વળી પેલા બે નગરે (તામસચિત્ત અને રાજસચિત્ત) છે. જેમ જેમ પિલે કુમાર ભેજન આરેગતે ગયો તેમ તેમ તેને અજીણું વધતું ગયું અને શરીર૫૨ તાવ ચઢતો ગયો, તેવી રીતે આ પ્રાણીની વિષય તરફ લંપટતા વધતી જાય છે તેમ રાગ વધતો જાય છે અને તે સર્વ જ્વર (તાવ)ને વધારનાર થાય છે. એવા સખ્ત અજીર્ણ અને તાવની વચ્ચે પણ જેમ પેલા બ્રહલ કુમારને વધારે વધારે ભજન કરવાની ઈચ્છા થયા કરતી હતી તેમ આ કમનસીબ પ્રાણુને પણ વિષયસેવનની ઈચ્છા થાય છે. તમે પ્રમત્તતા નદી- એક મનુષ્યભાવ પામેલા એટલે માણસ થયેલા પ્રાની યોજના. ણીને જોશે તે ઘણી ખરીવાર તમને જણાશે કે એને કર્મનું અજીણું ઘણું આકરું થયેલું છે, ઉપરાંત ૧ અત્ર પ્રમતા નદીનું વર્ણન પૃ. ૮૦૫-૬ થી પ્રથમ વાંચી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy