SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૨ ] ત્રણ કુટુંબે. १७७ “લાંઓના બળમાં પુષ્ટિમાં તેમજ તેજમાં વધારે કર્યા કરે છે. આવી રીતે પ્રથમનું કુટુંબ ઘણું પુષ્ટ થતું જતું હોવાને લીધે અને બીજા “કુટુંબના મુદ્દામ માણસો હિમત હારી જઈ નમાલા થઈ જતા હોવાને “લીધે એ બીજા પ્રકારનું અધમ કુટુંબ સાધુઓ ઉપર પિતાનો દોર વધારે પડતી રીતે ચલાવી શકતું નથી. વળી રાજન્ ! એ સાધુ“ઓને તપાસ કરતાં ખબર પડી ગઈ હોય છે કે તેઓનું ત્રીજું બાહ્ય કુટુંબ છે તે બીજા અંતરંગ અધમ કુટુંબને પુષ્ટિ આપનાર છે “એટલે એ સાધુઓએ ત્રીજા કુટુંબને (સંસારી મા, બાપ, સ્ત્રી, પુત્ર, “ભાઈ, બહેન વિગેરેનો) સર્વથા ત્યાગ જ કરી દીધો હોય છે. જ્યાં સુધી જ ત્રીજા બાહ્ય કબનો સર્વથા ત્યાગ કરવામાં આવે નહિ ત્યાં સુધી પ્રાણી બીજા અંતરંગ કુટુંબ ઉપર વિજય પ્રાપ્ત કરી શકતો નથી. તેટલા ભાટે હે રાજન્ ! જે તમારી પ્રબળ ઈચ્છા આ સંસારને મૂકી દે. વાની થઇ હોય તો મે તમને ઉપર કહી બતાવ્યું તેવું અત્યંત નિર્દય “કામ કરવાનું તમે શરૂ કરે. તેમાં આટલી વાત ધ્યાનમાં રાખજો કે “એક પણ બાજુએ વધારે પડતી રીતે ઢળ્યા વગર પોતાના અંત“રાત્માને મધ્યસ્થ રાખી જે નિર્દય કાર્યો કરવાને માટે મેં જણાવ્યું છે તે કરવાની પિતાની શક્તિ છે કે નહિ તેને બરાબર વિચાર કરજે. મેં ઉપર જે અત્યંત નિર્દય ક બીજા અંતરંગ કુટુંબને નબળા પાડવા માટેના જણાવ્યાં છે તે કેટલેક અંશે આ ઘાતકી સાધુઓ પિતાના અભ્યાસના બળથી કરે છે, બાકી બીજા દયાળુ ભાઈઓ “સંસારમાં આનંદ પામનારા હોય છે તેઓને આવાં કર્મના સંબંધમાં “વિચાર કે ચિંતવન કરવું પણ બની શકે તેવું નથી તો પછી તેના “આચરણની વાત જ શી કરવી? તેઓ એવા કર્મને વ્યવહારૂ આકારમાં કદિપણ મૂકી શકતા નથી. રાજન્ ! અહીં ત્રીજા બાહ્ય કુટુંબનો ત્યાગ કરવાની વાત કરી, બીજા અંતરંગમાં રહેલ અધમ કુટુંબને ઘાત કરવા ભલામણ કરી અને પ્રથમના અંતરંગમાં રહેલ વિશુદ્ધ કુટુંબની પિષણ કરવાને “ઉપદેશ આપે એ ત્રણે બાબત બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે “અને એના ઉપર ખાસ શ્રદ્ધા કરવા યોગ્ય છે. એનું પરિણામ કરીને અને એના ઉપર શ્રદ્ધા લાવીને તે પ્રમાણે કરવામાં પોતાના વીર્યને ઉપયોગ કરી અનેક મહાત્મા મુનિઓ આ સંસારપ્રપંચથી મુક્ત ૧ અહીં છે. ર. એ. સોસાયટી વાળી બુકનું પૃ. ૪૨૬ શરૂ થાય છે. ૨ સંસારરાસક જી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy