SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ “પણ કરે છે. તેને ઉત્પત્તિ અને વિનાશ ધર્મ છે અને તે બહિરંગ “પ્રદેશમાં જ વર્તતું હોય છે. ભવ્ય પ્રાણુને તે સંસાર અથવા મોક્ષનું કારણે થાય છે ત્યારે અભવ્ય પ્રાણુને માત્ર સંસારનું જ કારણે થાય છે. આ બાહ્ય કુટુંબ ઘણે ભાગે ઉપર જણાવેલા ક્રોધ માનવિગેરે બીજા કુટુંબને પોષનાર અને ટેકે આપનાર હોવાથી ઘણે ભાગે તે “સંસારવૃદ્ધિનું જ કારણ બને છે; કદાચ કઈ ભાગ્યવાનું પ્રાણી ક્ષાંતિ “માર્દવ વિગેરે પ્રથમના કુટુંબને અનુસરે છે તે ત્રીજું બાહ્ય કુટુંબ તેને સહાય પણ કરે છે. એ પ્રમાણે બને છે ત્યારે આ ત્રીજું બાહ્ય “કુટુંબ મેક્ષનું કારણ પણ કહેવાય છે. રાજન્ ! આ પ્રમાણે હોવાથી બીજા પ્રકારના કુટુંબના એક અંગભૂત તરીકે રહેલો વિશ્વાનર સર્વ “સંસારીજીને મિત્ર થઈને રહે છે અને તે જ કારણથી હિંસા સર્વ સંસારીજીવોની સ્ત્રી થાય છે. આ બાબતમાં જરા પણ સંદેહ કરવા જેવું નથી.” પ્રથમ કુટુંબજ દબાયેલી સ્થિતિમાં તેના અનાદરનાં કારણે પર વિવેચન. બીજા કુટુંબને સહચાર સ્નેહ સંબંધ, અરિદમન–મહારાજ ! આપે શાંતિ માદેવાદિ પ્રથમ કુટુંબના સંબંધમાં કહ્યું કે તે પ્રાણને સ્વાભાવિક કુટુંબ છે, પ્રાણીનું હિત કર - નાર છે અને તેને મેક્ષમાં લઈ જવાનું કારણ બને અંતરંગ કુટુંબ છે એમ છે ત્યારે પ્રાણીઓ એ કુટુંબને બહુ પ્રેમઅનાદર પિષણનાં કારણે. પૂર્વક કેમ આદર કરતા નહિ હોય? વળી મહારાજ! " પેલું ક્રોધમાન રાગદ્વેષ વિગેરે બીજું કુટુંબ જેના સંબંધમાં આપે જણુવ્યું કે તે પ્રાણુને તદ્દન અસ્વાભાવિક છે, એકાંતે તેનું અહિત કરનાર છે અને સંસારની વૃદ્ધિનું કારણ છે-એ પ્રમાણે છે, છતાં પ્રાણુ ઘણું પ્રેમપૂર્વક એવા અધમ કુટુંબની પિષણું શામાટે કરતાં હશે?” વિવેકાચા–“રાજન ! પ્રાણુઓ હિત કરનાર કુટુંબને કેમ “બરાબર આદરતા નથી અને અહિત કરનારની વિશેષ પિષણ શા છે માટે કરે છે તેનું કારણ તું બરાબર સાંભળ. હકીકત એવી છે કે “ક્ષમાશાંતિવિગેરે પ્રથમ કુટુંબ અને ક્રોધરાગાદિ બીજા કુટુંબ વરચે અનાદિકાળથી વૈર ચાલ્યા કરે છે. બન્ને કુટુંબ અંતરંગ - “ને રાજ્યમાં રહેલા છે, પણ એ લડાઈમાં બીજા અધમ કુટુંબવડે પ્રથમનું સારું કુટુંબ ઘણે ભાગે હારેલું જ રહે છે. આવી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy