SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧] ભવપ્રપંચ અને માનુષ્યધર્મદુર્લભતા. “કારનાં નાટકો કરે છે અને પાંચ ઇંદ્રિયવાળી તિર્થની જાતિમાં પરિ ભ્રમણ કરે છે, ત્યાં સર્વત્ર તે અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે, “જુદા જુદા ભવમાં સહન કરવા માટે બંધાઈ ચૂકેલાં કર્મના જાળાં“ઓનાં પરિણમે ભેગવતાં વારંવાર નવાં નવાં રૂપો ભવિતવ્યતાને યોગે ધારણ કરે છે, અરઘઘટ્ટી (રેંટ)ના ન્યાયથી ઉપર નીચે ભમ્યા કરે છે અને ત્યાં તેઓનાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તા ઘણું રૂપ થાય છે અને વળી તેઓ કેઈ વખત પૃથ્વીનું રૂપ લે છે, કઈ વખત પાણીનું (અપ્લાયનું)-રૂપ લે છે, કેઈ વાર અ“ગ્નિનું રૂપ લે છે, કઈ વાર વાયુને દેહ ધારણ કરે છે, કેઈ વાર વન સ્પતિનું શરીર ધારણ કરે છે. કેઈ વાર બેઇદ્રિય થાય છે, કઈ વાર ત્રણ ઇંદ્રિય ધારણ કરે છે, કેઈ વાર ચાર ઇંદ્રિય ધારણ કરે છે, “કઈ વાર અસંજ્ઞી પંચેદ્રિય તિર્યંચ થાય છે, કેઈ વખત સંસી પંચેંદ્રિય તિર્યંચ થાય છે, તિર્યંચ પંચંદ્રિયમાં પણ કઈ વાર જળચારી (મસ્યાદિક) થાય છે, કોઈ વાર જમીનપર ચાલનાર સ્થળચર થાય છે, “કઈ વાર આકાશચારી (પક્ષી)નું રૂપ લે છે આવી રીતે જુદાં જુદાં રૂપ લઈને પ્રત્યેક સ્થાનમાં અનંતી વાર ભટકે છે. આવી રીતે અનેક “જગ્યાએ વિચિત્ર રૂપિવડે ભટકતાં ભટકતાં. મહાસમુદ્રમાં પડી ગયેલાને “જેમ કદાચ રદ્વીપની પ્રાપ્તિ થઈ જાય, મહારોગથી શરીર જર્જરિત થઈ “ગયા પછી જેમ કેઇને મહા ઔષધ (રામબાણ દવા)ની પ્રાપ્તિ થઈ જાય, ઝેરથી મોટી મૂર્છા આવી ગયા પછી કદાચ મંત્ર જાણનાર ગારૂડીને જેમ ગ થઈ જાય અથવા તો દારિદ્રથી ગભરાઈ ગયેલા–ઘે“રાઈ ગયેલા પ્રાણુને જેમ અચાનક ચિતામણિ રત્નની પ્રાપ્તિ થઈ જાય તે પ્રમાણે ઘણી મુશ્કેલી એ મળી શકે તેવો મનુષ્યભવ પ્રાપ્ત થઈ “જાય છે. ત્યાં પણ મોટા ધનના ભંડાર ઉપર જેમ વૈતાળો લાગુ પડી જાય છે તેમ મનુષ્યભવમાં હિંસા ક્રોધ વિગેરે વૈતાળે આ પ્રાણીને “બહુ બહુ પ્રકારની હેરાનગતિઓ કરે છે તેને લઈને મહા મેહથી “મહાનિદ્રામાં પડી ગયેલા મનવાળા આવા નંદિવર્ધન જેવા રાંક પ્રા ૧ અહીં ઉપર નીચે શબ્દ અનેક અર્થવાચક છે. ઉચ્ચનીચ જાતિમાં, ઉર્વલોકને અધોલોકમાં, જુદા જુદા ઉચ્ચનીચ ભામાં વિગેરે. ૨ આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પર્યાસિ છે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરનાર પણ કહેવાય છે, પૂરી ન કરનાર અપર્યાયો કહેવાય છે. - ૩ સ્થળચરમાં પણ ચાર પગે ચાલનાર, પેટ ઘસીને ચાલનાર, હાથવડે ચાલનાર-એમ જુદાં જુદાં સ્વરૂપ ધારણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy