SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૦] મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. ૬૫૭ અરિદમન–“અહો! રસાહેબ ! એજ પુરૂષે જયસ્થળને સળગાવી દીધું? ત્યારે મહારાજ ! એ પુરૂષ કેણુ છે ?” વિવેકાચા–“રાજન ! તમે જેને જમાઈ કરવા ધાર્યો હતો તે જ આ કુમાર નંદિવર્ધન છે.” અરિદમન–અરે સાહેબ! એ તે શું વાત ! શું નંદિવર્ધને પોતે જ એ કામ કર્યું? આવા પ્રકારનું કામ એણે શા માટે કર્યું? વળી અત્યારે તે આવી અત્યંત માડી અવસ્થામાં શા કારણે આવી ગયેલ જણાય છે ?” ત્યાર પછી આચાર્ય ભગવાને સ્ફટવચન પ્રધાન જયસ્થળનગર પદ્મરાજાની સભામાં ગયો અને ત્યાં નંદિવર્ધન સાથે નંદિવર્ધનની નજીવી બાબતમાં હાંસાતસી થઈ ત્યારથી માંડીને કર્મકથા. ચોરોએ બાંધી ઉપાડી શાદલપુર નગરની બહારના જંગલમાં (મને) છોડી દીધો ત્યાં સુધીની સર્વ વાર્તા વિગતવાર કહી સંભળાવી. મારું આવું ચિત્ર વિચિત્ર સ્વરૂપ સાંભળીને રાજાને તેમજ આખી મંડળીને ઘણી નવાઈ લાગી. અરિદમન રાજાએ વિચાર કર્યો કે તેનું (નંદિવર્ધનનું) હોટું બાંધેલું છે તે છોડી નાંખ્યું? અથવા તે એના હાથે છુટા કરૂં? અથવા તો નહિ નહિ ! હમણાજ આચાર્ય મહારાજે એનું ચરિત્ર નિવેદન કર્યું છે, તે જોતાં એને હમ જ છૂટો કરીશ તે અત્યારે જ તે કાંઈક નકામી ધમાધમ ઊભી કરીને કેવળી ભગવાન પાસે અમને આવી મજાની ધર્મકથા સાંભળવાનો પ્રસંગ પ્રાપ્ત થ છે તેમાં કાંઈ વિશ્ન ઊભું કરશે. માટે હાલ તે તે જેમ પડે છે તેમજ ગુરૂ મહારાજની કથા ચાલે ત્યાં સુધી તેને રહેવા દે એ વધારે સારું છે. ધર્મકથાનું શ્રવણ પૂણે થયા પછી તેના સંબંધમાં ઘટતું કરવામાં આવશે. જે પ્રાણીનું આવું અઘોર પાપચરિત્ર છે તેના ઉપર એકદમ વધારે પડતી દયા કરી દેવી તે પણ એક રીતે તદ્દન અયોગ્ય છે. જે તે કેવળી ભગવાનને એક બીજે પણ સવાલ પૂછી લઉં. અરિદમનના નંદિવર્ધન સંબંધી વધારે પ્રશ્નો. અરિદમન-મહારાજ ! અમે તે અગાઉ કુમાર નંદિવર્ધન માટે ઘણી સારી અને મેટી મોટી વાતો સાંભળી હતી અને તે મહા ગુણવાન છે એમ જાણવામાં આવ્યું હતું. અમે તો સાંભળ્યું હતું કે તે ઘણે બહાદુર છે, કાબેલ છે, ઠરેલ છે, સમજણવાળે છે, મહાસત્ત્વ વાનું છે, દઢ પ્રતિજ્ઞાવાળે છે, રૂપવંત છે, રાજનીતિને જાણનાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy