SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ હોય તેમ આખું ભાઠો થઇ ગયું છે. વળી જંગલને દવ લાગે ત્યારે જેમ તેની આસપાસનું મંડળ (ચારે બાજુના પ્રદેશ) પણ મળી જાય તેમ તે જયસ્થળ નગરની નજીકનાં નાનાં ગામે અને શહેરો પણ મળીને નાશ પામી ગયાં છે. તે સર્વ મળીને એને એવા ભાડો થઇ ગયેલ છે કે હાલ તે જાણે એક જંગલ હેાય તેવુંજ દેખાય છે. ત્યાં તપાસ કરવા ગયેલા મારા માણસાને એક પણ એવા માણસ ન મળ્ય કે જેને એ સર્વ હકીકત કેમ બની કે શું થઇ ગયું તે સંબંધી સમાચાર પણ પૂછી શકાય ! આ પ્રમાણે હકીકત સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે અહા અહો ! આ તે મેાટી ઉપાધિ ઉત્પન્ન થઇ! અરે પણ આ પ્રમાણે થવાનું કારણ શું હશે? અરે શું ત્યાં તે એકદમ અચાનક ઉત્પાત થયા હશે અને તેને પરિણામે અંગારાના વરસાદ થયા હશે ! અથવા તેા અગાઉ ગુસ્સે થયેલા કોઇ દેવતાએ એ નગરને આળીને ભાઠા કરી નાંખ્યું હશે! અથવા તો કાઇ તાપસાદિકે ક્રોધમાં આવી જઇને શાપ દઇને એ નગરને બાળી મૂકયું હશે ! અથવા તે ક્ષેમ અગ્નિવડે અથવા ચેારાએ તેને બાળી મૂકયું હશે ! આ હકીકતનું ખરેખરૂં સ્વરૂપ ન સમજવાથી મનમાં શોક પામતા ઘણા વખતથી હું તે સંબંધી મુંઝવણમાં પડેલા હતા. હવે આપશ્રીના દર્શન થવાથી મારા શાકના આજે નાશ થયા છે, પરંતુ મારા મનમાં જે સંદેહ ઉત્પન્ન થયા હતા તેનું હજી પણ નિવારણ થયું નથી; હવે આપસાહેબ મારો તે સંશય દૂર કરવા કૃપા કરો. ” 66 વિવેકાચાર્યે રાજન્ ! આ પર્યદાની નજીક એક પુરૂષ બેઠેલા છે જેના હાથપગ પછવાડેથી મજબૂત બાંધેલા છે, જેના મ્હોઢા ઉપર મેાટા ચા મારવામાં આવેલા છે અને જે વાંકા વળી ગયેલા છે તેને તમે જુએ છે ?” અરિક્રમન—“ હા સાહેબ! એ પુરૂષને હું બરાબર જોઉં છું.” વિવેકાચાર્ય મહારાજ ! યસ્થળનગર એ પુરૂષે બાળી નાખ્યું છે, ” ૧ નંદિવર્ધને જયસ્થળમાંથી નીકળતી વખતે આગ મૂકી હતી તેનું આવું પુરિણામ આવ્યું હતું. જુએ પૃ. ૬૪૧. ૨ ક્ષેત્ર અગ્નિઃ કેટલાક લોકો દાવાનળ સળગાવવાને ધર્મદીપ' કહે છે. સગાસ્નેહી મરતી વખત માને છે કે અમુક ધર્મદીપ કરશું. ધર્મદીપથી મરનારના આત્માને શ્રેય થશે એમ તેઓ માને છે. આને ક્ષેમ અગ્નિ-ધર્મદીપ કહે છે. ચારા ચારી કરી આગ મૂકે છે અને લોકોનું આગમાં ધ્યાન રહે ત્યાં પાતે પલાયન કરી જાય છે તેવા પ્રકારના અગ્નિ પણ અત્ર વર્ણવ્યા જણાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy