SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ६४० ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ભાષામાં આડું અવળું બોલતે, કેદખાનાનાં બારણાં સંતાપમાં સાથે માથુ અફાળતો, ક્ષુધાથી પીડાતા, તૃષાથી - ગરકાવ, રાન થતો, અંતરના તાપથી બળી જતા, નારકીની પેઠે અનેક પ્રકારના દુઃખ ખમતે-એજ સ્થિતિમાં એક માસ સુધી કેદખાનામાં રહ્યો. ત્યાં મને તેટલે વખત જરા પણ ઉંઘ આવી નહિ, કેઈએ મારાં બંધન જરા પણ છેડ્યાં નહિ અને મારી તરફ નજર પણ કરી નહિ. મહા દુ:ખમાં એ સર્વ કાળ મેં ત્યાં પસાર કર્યો. આવી રીતે ભુખ્યો અને તરસ્યો એક માસ સુધી કેદખાનામાં રહેવાથી હું તદ્દન ક્ષીણ થઈ ગયો. એક દિવસ લગભુખે અને ભગ મધ્યરાત્રીએ મને એક વાર અત્યંત ક્ષીણુતાને તરસ્યો. પરિણામે જરા ઉંધ આવી. તે વખતે ઉંદરે આવીને મારે હાથે તથા પગે બાંધેલાં બંધનને તોડી નાંખ્યું તેથી હું છુટો થઈ ગયો. મેં તુરત જ કેદખાનાનાં બારણું ઉઘાડ્યાં અને બહાર નીકળી આવ્યું. તે વખતે ખબર પડી કે મને રાજમહેલમાં જ કેદ કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રી હોવાથી ચોકીદાર વિગેરે સર્વ સુઈ ગયા હતા. કોઈ હાલતું ચાલતું પણ ન હતું. મેં તે વખતે વિચાર ફોધીએ આવેશમાં કર્યો કે આ આખું રાજકુળ અને આખું નગર અનગર સળગાવ્યું. ત્યારે મારું ખરેખરૂં દુશમન થઈ ગયું છે. એ સર્વે લોકેએ મને અનેક પ્રકારના દુઃખે દેવામાં કાંઈ બાકી રાખી નથી–આમ વિચારું છું તેવામાં મારા અંતરમાં રહેલા મારા વિશ્વાનર મિત્રે ઝણઝણુટી કરી અને હિંસાએ આનંદમાં આવી જઈ ખુંખારે ખાધે; એટલે એ બન્નેને મારામાં જોર વધી ગયું. તે વખતે નજીકમાં એક અગ્નિને કુંડ સળગી રહ્યું હતું તે મારા જોવામાં આવ્યું એટલે મેં વિચાર કર્યો કે-અહો ! શત્રુને મારવાનો ઉપાય તે અહીં હાજર છે ! હવે એટલું જ કરવાનું છે કે એક શેકેરૂં લઈને તેમાં અંગારા ભરી લઉં અને પછી તેમાંથી થોડા રાજમહેલમાં અને ભેડા નગરના બીજા ભાગમાં મૂકી દઉં; ખાસ કરીને જલદી સળગી ઉઠે તેવાં સ્થાનકે શેધીને તેમાં જ અગ્નિ લગાવી દઉં કે જેથી થેડા અંગારાથી પણ ધારેલ કામ થઈ જાય. આમ કરવાથી આખું રાજકુળ અને આખું નગર બન્ને પિતાની મેળે જ નાશ પામી જશે–આ અધમ વિચાર કરીને મેં તે જ પ્રમાણે કર્યું. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy