SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. { પ્રસ્તાવ ૩ સ્ફુટવચન—“ કુમારશ્રી ! આપને કોઇએ બરાબર છેતર્યા જખાય છે. મેં જે માપ કર્યુ છે તેમાં તલના ત્રીજો ભાગ પણ વધારે કે ઘટાડે થઇ શકે તેવું નથી એવું એ ચેાસ માન છે અને મેં તે જાતે કર્યું છે. એમાં જરા પણ ફેરફાર કદિ થવા સંભવત નથી.” પુછ્યાય રીસાયેા. ૬૩૬ આ તા . હરામખાર રાજસભામાં લોકોના દેખતાં મને જાડો પાડે છે-એવા મારા મનમાં વિચાર આવતાં અંતરંગમાં રહેલ વેશ્વાનરે ઝણઝણાટી કરી, હિંસાદેવી જરા હસી અને પોતાની યોગશક્તિ મારાપર ચલાવી અને તુરતજ એ બન્નેએ મારા શરીરમાં પ્રવેશ કર્યો; તેથી જાણે પ્રલયકાળને સાક્ષાત્ અગ્નિ જહે તેવા હું થઇ ગયા. મારૂં શરીર લાલચાળ થઇ ગયું, આંખામાંથી અંગારા નીકળવા લાગ્યા, રારીર ધ્રુજવા લાગ્યું અને મ્યાનમાંથી સૂર્યકિરણના સમૂહ જેવી ભયંકર તરવાર મેં ખેંચી કાઢી. તે વખતે પુણ્યેાદચે વિચાર કર્યો કે હવે આપણા વખત પૂરો થઇ ગયા. ભવિતવ્યતાના હુકમથી અત્યાર સુધી તે હું અહીં રહ્યો અને તેના હુકમનું પાલન કર્યું, પરંતુ હવે નંદિવર્ધન કુમાર મારા સંબંધને જરા પણ યોગ્ય રહ્યો નથી, માટે હવે તે અહીંથી ચાલ્યા જવું સારૂં છે. આ પ્રમાણે વિચાર કરીને પુણ્યાય નામને મારે ખાસ મિત્ર મારી પાસેથી તે વખતે ચાહ્યા ગયા. ખુનપર ચઢેલા નંદિવર્ધન, મેં તે આવેશમાં આવી જઇને એક મોટી રાડ પાડી-હાકાર કર્યો અને સભાજનેાની દેખતાંજ આ કર્જાય છે કે નહિ તેના જરા પણ વિચાર કર્યાં વગર તરવારના એક ઝટકાથી ફુટવચનના શરીરના બે ટુકડા કરી નાંખ્યા. જેથી આખી સભામાં હાહાકાર થઇ રહ્યો. સ્ફુટવચનનું રાજસભામાં ખૂન. તે વખતે મારા પિતાશ્રી પદ્મરાજા જે રાજ્યાસનપર બીરાજમાન થયા હતા તેઓ “ અરે અરે ! પુત્ર! તું આ શું કાર્ય કરી રહ્યો છે? અરે તેં બહુ ભૂંડું કર્યું !” એમ બેલતા સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને એકદમ મારી તરફ આવવા લાગ્યા. પિતાશ્રીને મારી તરફે ૧ પૂર્વ પુણ્ય હતું તે વાપરી ખાધું, તેમાં વધારો કર્યો નહિ, તેથી તે પૂરૂં થયું એટલે સર્વ રાજસત્તા, અધિકાર અને અનુકૂળતાએ એક પછી એક જવા લાગ્યા. પાપને અનુબંધ કરાવે તેવા પાપાનુબંધી પુણ્ય ’ ને ઉદ્ય હેય ત્યારે આ પ્રમાણે જ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy