SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ હતી અને તેથી તે જડભરત જેવા થઇ ગયા હતા તે ચેતના પાછી આવવા માંડી. પરિણામ એ થયું કે થોડી વારમાં તેણે આંખા ઉઘાડી, તેના વ્યાધિઓ જાણે નાશ પામી ગયા હૈાય તેવા થઈ ગયા અને તેના મનમાં પણ જરા આનંદ થયો. તેને પેાતાને પણ એમ થવા માંડ્યું કે આ તે શું થઇ ગયું ? આટલેા લાભ જણાયા છતાં પણ પેાતાના ભિખના ઠીકરાને જાળવી રાખવાના તેના વિચાર પૂર્વ કાળના લાંબા અભ્યાસને લઇને હજી જતા નથી, હજી તેને સંરક્ષણ કરવાને વિચાર વારંવાર થયા કરે છે. આ એકાંત સ્થાન છે, તેથી પેાતાનું ભિક્ષાપાત્ર કોઇ ઉપાડી જશે એવા હજુ પણ વારંવાર તેને વિચાર આવ્યા કરે છે અને નાસી જવા સારૂ લાગ શોધવા ચારે તરફ તે નજર નાખ્યા કરે છે. ક્રમકને અંજન આંજવાથી કાંઇક ચેતના પ્રાપ્ત થઇ છે એમ જોઇને ધર્મબેાધકર મંત્રી હવે મીઠાં વચનેાથી તેની જળને અ સાથે વાત કરવા લાગ્યા. તેણે વાત શરૂ કરતાં કહ્યું ભુત પ્રભાવ. “ભાઇ ! તારા સર્વ તાને શમાવી દેનાર આ પાણી જરા પી. આ પાણી પીવાથી તારા આખા શરીરમાં સમ્યક્ પ્રકારની સ્વસ્થતા થઇ જશે.” ધર્મબેાધકર મંત્રી આ પ્રમાણે તેને પ્રેરણા કરે છે ત્યારે પેલા ભિખારી પેાતાના મનમાં શંકા હોવાથી વિચાર કરે છે કે એ પાણી પીવાથી શું થશે તેની કાંઇ ખબર પડતી નથી-એવા એવા વિચાર કરીને તે પાણી પીવાની ઇચ્છા કરતા નથી. ધર્મબાધકર મંત્રીશ્વરે આવી તેની સ્થિતિ જોઇ ત્યારે તેને તેની ઉપર વધારે દયા આવી અને દયાને લઇને તે ભિક્ષુકનું એકાંત હિત કરવાની બુદ્ધિથી તેની મરજી નહાતી તાપણ તેનું મોઢું ઝેરથી ઉઘાડીને તેમાં પાણી રેડી દીધું. તે પાણી (જળ) તદ્દન ઠંડું હતું, અમૃતના જેવું સ્વાદિષ્ટ હતું, ચિત્તને અત્યંત આહ્લાદ ઉપજાવે તેવું હતું અને સર્વ સંતાપ દૂર કરે તેવું હતું. તેને પીવાથી તે તદ્ન સ્વસ્થ જેવા થઇ ગયા, તેને જે ઉન્માદ હતા તે લગભગ નહિ જેવા થઇ ગયા, તેના વ્યાધિઓ નરમ પડી ગયા અને તેના શરીરમાં દાહની પીડા થતી હતી તે સર્વ શમી ગઇ, તેમજ તેની સર્વ ઇંદ્રિયો પ્રસન્ન થઇ. આવી રીતે તેના અંતરાત્મા સ્વસ્થ થવાથી કાંઇક વિમળ ચેતનાવાળા થઇને તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યાઃ— અહા! આ અત્યંત કૃપાળુ મહાત્મા પુરુષને મેં મહામહના જોરથી મૂર્ખાઇને અંગે ઠગારા ધાર્યાં હતા. એ મહાપુરુષે મારા ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy