SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૩ તેઓ અનેક પ્રકારના કલ્યાણસમૂહને પ્રાપ્ત કરીને આખરે જરૂર મેક્ષને પ્રાપ્ત કરે છે–આટલા માટે એ ચારતા દેવી લકેના હિતને કરનારી છે એમ ઉપર જણાવવામાં આવ્યું છે. આ લેકમાં અને પરલોકમાં મહાત્મા પુરૂષોને સંસારસાગરથી પાર ઉતારનાર જે જે મોટાં શાસ્ત્રો છે તે સર્વેમાં બુદ્ધિશાળી તત્વ વિચારકેએ આ મહાદેવીને આદરવા યોગ્ય વ્યક્તિ તરીકે વારંવાર વર્ણવેલી છે–એટલે તત્ત્વજ્ઞ સર્વ શાસ્ત્રકારે ભલામણ કરે છે કે એ દેવીનો આદર કરે. તેટલા માટે જ તે ચારૂતા દેવીને સર્વે શાસ્ત્રના અર્થની કસોટિ કરાવે તેવી કહેવામાં આવી છે, મતલબ કહેવાની એ છે કે એ દેવીની ગેરહાજરી હોય તે શાસ્ત્રની સર્વ બાબત અસદબુદ્ધિના સમૂહ જેવી લાગે છે. અમુક શાસ્ત્ર તત્ત્વને બરાબર બતાવે છે કે નહિ તેની કસોટિ એ દેવીની બાબતમાં તે શાસ્ત્ર શું કહ્યું છે તે પરથી થાય છે. આથી તે દેવીને સર્વ શાસ્ત્રના અર્થની કોટિ જેવી કહેવામાં આવી છે. લોકોમાં દાન, શીલ, તપ, ધ્યાન, ગુરૂપૂજા, શમ, દમ વિગેરે સારાં અનુષ્ઠાન-શુભ કાર્યો ગણાય છે તે સર્વને એ મહાદેવી પિતાના બળથી પ્રગટ કરાવે છે–પ્રવર્તાવે છે; તેટલા માટે તેને સારું અનુષ્ઠાનને પ્રવતવનારી” કહેવામાં આવી છે. આ લેકમાં કામ (વિષયેચછા), ક્રોધ, ભય, દ્રોહ (વિશ્વાસઘાત), મોહ, મત્સર (અદેખાઈ), વિભ્રમ (ભ્રાંતિ), શઠતા (લુચાઈ), ચાડી આપણું, રાગ વિગેરે જે જે પાપના હેતુઓ છે એટલે જે સર્વથી પાપ બંધાય છે તે અને આ ચારૂતાદેવી કદિ એક સાથે ત્રણ ભુવનમાં પણ રહેતા નથી તેથી એ ચારતાદેવીને “પાપથી દૂર રહેનારી” કહેવામાં આવી છે. દયાકુમારી, એ શુભપરિણુમ રાજાને સદરહુ ચારતા દેવીથી એક દયા નામની પુત્રી થયેલી છે; જે દુનિયાને આનંદનું કારણ છે, રૂપથી ઘણું જ સુંદર છે, સગા સંબંધીઓને ઘણું વહાલી છે અને આનંદપરંપરાનું કારણ હોઈને સ્ત્રી છતાં મુનિઓના હૃદયમાં પણ નિરંતર રહેનારી છે. { આ સંસારભુવનમાં સર્વે ચરાચર પ્રાણુઓ હમેશા દુઃખને અને મરણને કદિ પણ ઈચ્છતા નથી, દરેક પ્રાણી અંતઃકરણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy