SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ ણુથી રંગાયલા તેના હોઠો, અંતરંગમાં રહેલ હર્ષને બતાવતું સ્મિત હાસ્ય કરતું તેનું આનંદી મુખ, અંતરંગના પ્રેમને સૂચવનારૂં લાપૂર્વક પગના અંગુઠાથી તેનું જમીનનું ખણવું, આડું અવળું જોવાના બહાને અંતઃકરણની અભિલાષાને બતાવનાર તેનું મારી સામું જોઇ લેવું અને એવી એવી બીજી મઢનમંજરી સંબંધી બનેલી અનેક વાતે જોકે મદનના તીવ્ર દાહને વધારનાર હતી તેાપણુ મેાહને લઇને હું તેને દાહને શમાવનાર અમૃત જેવી માનતા હોઇને તેને વારંવાર મનમાં યાદ કરતા મારા મંદિરે પહોંચ્યા. દિવસને યોગ્ય મેં સર્વ કામ ત્યાર પછી પતાવી દીધું. લગ્ન. 6 અરાબર મધ્યાહ્ને દાસી દલિકા મારી પાસે મારે મંદિરે આવી અને મને કહેવા લાગી “ પ્રભુ ! મહારાજા સાહેબ કનચૂડે મારી સાથે કહેવરાવ્યું છે કે મેં આજે જોશીને બેલાવી લગ્નના દિવસ પૂછ્યો તે જણાય છે કે આજ સાંજે લગ્ન અહુ સારૂં આવે છે.’” આવાં કદલિકાનાં વચન સાંભળીને હું રતિસમુદ્રમાં ડૂબી ગયા અને આવા વધામણીના સમાચાર લાવવા માટે મેં કલિકાને મોટું ઇનામ આપ્યું. થોડો વખત થયા ત્યાં તેા હાથમાં કળશ લઇને સ્ત્રીએ આવી પહોંચી અને તેમણે મને જ્ઞાન કરાવ્યું. પછી મંગળ માટે મારે હાથે હસ્તસૂત્ર બાંધ્યું. ત્યાર પછી મોટાં મોટાં દાન આપવામાં આવ્યાં, મંદીખાનામાંથી કેદીઓને છેડી દેવામાં આવ્યાં, નગરદેવતાનું પૂજન કરવામાં આવ્યું, વૃદ્ધ વડીલ પુરૂષાનું યેાગ્ય સન્માન કરવામાં આવ્યું, બજારમાં ખાસ શોભા કરવામાં આવી, મેટા રસ્તાઓ વાળી ઝુડીને સાફે કરવામાં આવ્યા, પ્રેમી પુરૂષોને પૂરતા સંતાષ આપવામાં આવ્યા. વળી તે પ્રસંગે રાજમાતાએ ગીત ગાવા લાગી, અંતઃપુરની દાસીએ નાચવા લાગી, રાજ્યવલ્લભ પુરુષા વિલાસ કરવા લાગ્યા. આવા વાતાવરણમાં તે વખતે અત્યંત આનંદ સાથે હું રાજ્યજીવનમાં દાખલ થયા. કનકચૂડ મહારાજાના કુટુંબમાં મુસલતાડનાર ( સાંબેલું મારવું-અથડાવવું) વિગેરે જે જે આચારા થતા હતા તે તે સર્વ કરવામાં આવ્યા. રાજાને સંદેશા અને તેજ દિવસે લગ્ન. ૧ હાલ મીંઢાળ બાંધવામાં આવે છે તેને મંગળસૂત્ર કહેવામાં આવે છે. ૨ મુસલતાડનાઃ વર તથા કન્યાના કુટુંબના રિવાજ પ્રમાણે આવા અનેક આચારે કરવા પ્રચલિત છે. મુસલ તાડનામાં કન્યા તથા વર પરસ્પર મુસલ ( સાંખેલું ) મારવાને દેખાવ કરે છે. એવીજ રીતે કારડા મારવાને રિવાજ પણ અન્યત્ર સાંભળ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy