SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪ ] કનકમંજરી. ૬૧૧ તેને નમસ્કાર છે!” તેતલિ બોલે “અરે કાપિંજલા! કામદેવ (મન્મથ) અને રતિ એ બન્નેના જેવો આ બન્નેને (નંદિવર્ધન અને કનકમંજરીને) અહીં આ બગીચામાં આજે વેગ થયો તેથી આ ઉદ્યાનનું રતિમન્મથ નામ છે તે આજે બરાબર સાચા અર્થવાળું થયું. અત્યાર સુધી એનું નામ હતું તે તો નકામું હતું, અર્થ વગરનું હતું, જુઠું હતું.” આ પ્રમાણે વાત કરતાં કરતાં કપિંજલા અને તેને તલિ અમે હતા તે બગીચાના વિભાગની નજીક આવી પહોંચ્યા. એમને જોઈને કનકમંજરી એકદમ ઊભી થઈ ગઈ એટલે કર્ષિજલાએ કહ્યું “દીકરી ! બહેન ! બેસી જા, ગભરાવાનું કાંઈ પણ કારણ નથી.” પછી અમે ચારે સ્નેહથી ભરપૂર અને હાસ્ય ઉત્પન્ન કરે તેવી વિશ્વાસની વાતો કરતાં અમૃતના સમૂહ જેવા દુર્વાના ઘાસના તકીઆ પર થોડી વાર બેઠા. એ પ્રમાણે અમારી આનંદની વાત ચાલતી હતી તેવામાં યોગ ઘર નામને કન્યાના અંતઃપુરને દ્વારપાળ (કંચુકી) કંચુકી ત્યાં આવી પહોંચે. તેણે મને પ્રણામ કરીને કનકયોગન્ધર. મંજરીને લાવી. એટલે કપિંજલાએ કંચુકીને પૂ છયું “ભાઈ યોગશ્વર ! આવી રીતે એકદમ કુંવરીને બોલાવવાનું શું કારણ છે?” જવાબમાં કંચુકીએ કહ્યું મહારાજા સાહેબે (કનકચૂડે) સાંભળ્યું કે બહેનને શરીરે રાત્રે સારું નહતું, તેથી પ્રભાતમાંજ કુંવરીને જોવા માટે તેઓ શ્રી પધાર્યા હતા. કુંવરીના મંદીરમાં જતાં ત્યાં કુંવરી સાહેબ તેઓશ્રીને મળ્યાં નહિ, તેથી મહારાજા સાહેબ જરા ગુંચવાયા અને મને બોલાવીને હુકમ કર્યો કે “અરે કંચુકી ! તું જા અને કુંવરી જ્યાં હોય ત્યાંથી તેને પત્તો મેળવીને તેને મારી પાસે લઈ આવ.” આટલા માટે હું કુંવરી સાહેબને બોલાવવા આવ્યો છું.” પિતાનું વચન કદિ પણ ઉલ્લંઘી શકાય નહિ. તેમ કનકમંજરી માનતી હોવાથી મારા તરફ વારંવાર વાંકી નજરે જેતી અને આળસ મરડતી વગરમને કાપિંજલાની સાથે ત્યાંથી નીકળી અને મારી નજરથી દૂર થઈ. કનકમિંજરી ત્યાંથી વિદાય થયા પછી સારથિએ મને કહ્યું “પ્રભુ! અહીં હવે વધારે વખત રહેવાની જરૂર નથી.” ત્યાર સેહ. પછી કનકમંજરીને બનાવટી કેપવાળે ચસ્મરણે. હેરો, “અરે કઠોર હૃદયવાળા ! મને છોડ છોડ ! ” એવાં તેનાં વચને, વિલાસ કરતા દાંતનાં કિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy